Sports

જાડેજાના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ! ટેસ્ટમાં બીજા બોલરો કરતાં બમણા નો-બોલ ફેંક્યા

By GS Team
19 Aug 20262 mins read
TukuTouch Logo
ભારતીય ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાના નામે ટેસ્ટ ક્રિકેટમાં એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે. 2021થી અત્યાર સુધીમાં તેણે 84 નો-બોલ ફેંકીને સ્પિનરોમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. પાકિસ્તાનના નૌમાન અલી 40 નો-બોલ સાથે બીજા ક્રમે છે. હાલમાં શ્રીલંકા સામેની ટેસ્ટમાં જાડેજાએ 3 વિકેટ ઝડપી 350 વિકેટનો આંકડો પાર કર્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

જાડેજાના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ! ટેસ્ટમાં બીજા બોલરો કરતાં બમણા નો-બોલ ફેંક્યા

Ravindra Jadeja: રવીન્દ્ર જાડેજાની ગણતરી એવા ખેલાડીઓમાં થાય છે જે ઝડપથી પોતાની ઓવર પૂરી કરીને નીકળી જાય છે. પરંતુ આ જ જાડેજાના નામે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 'નો-બોલ' ફેંકવાનો રેકોર્ડ પણ નોંધાયેલો છે. સાંભળવામાં થોડું અજીબ લાગે છે ને? ઝડપથી ઓવર પૂરી કરતો બોલર આખરે સૌથી વધુ નો-બોલ કેવી રીતે ફેંકી શકે? આંકડાઓએ ખૂબ જ રસપ્રદ સ્ટોરી અહીં રજૂ કરી છે. તો ચાલો જાણીએ જાડેજાના સૌથી વધુ નો-બોલ ફેંકવાના આંકડા શું છે.

2021થી જો આંકડાઓ પર નજર કરવામાં આવે તો, સ્પિનર તરીકે સૌથી વધુ ટેસ્ટ નો-બોલ રવીન્દ્ર જાડેજાના નામે જ જોવા મળે છે. ભારતીય ખેલાડી 84 નો-બોલ સાથે પ્રથમ સ્થાને છે. આ યાદીમાં પાકિસ્તાનના નૌમાન અલી બીજા નંબર પર છે, જેમણે 40 નો-બોલ ફેંક્યા છે. જાડેજા અને નૌમાન વચ્ચે બમણાથી પણ વધુનો તફાવત છે. આ રીતે જાડેજાના નામે સૌથી વધુ નો-બોલનો શરમજનક રેકોર્ડ નોંધાઈ ચૂક્યો છે.

2021થી ટેસ્ટમાં સૌથી વધુ નો-બોલ ફેંકનારા સ્પિનરો

રવીન્દ્ર જાડેજા (ભારત)- 84

નૌમાન અલી (પાકિસ્તાન)- 40

લસિથ એમ્બુલદેનિયા (શ્રીલંકા)- 33

જેક લીચ (ઈંગ્લેન્ડ)- 19

જોમેલ વારિકન (વેસ્ટ ઈન્ડિઝ)- 17

ઝહીર ખાન (અફઘાનિસ્તાન)- 17

શ્રીલંકા ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 3 વિકેટ ઝડપી

ભારતીય ટીમ હાલમાં ગાલે ખાતે શ્રીલંકા સામે 2 મેચોની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ રમી રહી છે. મેચમાં શ્રીલંકાની પ્રથમ ઈનિંગ્સ દરમિયાન જાડેજાએ 3 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેણે 21 ઓવરમાં 57 રન આપ્યા હતા. આ સાથે જ જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં 350 વિકેટનો આંકડો પાર કરી લીધો છે. તે ભારત માટે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર 5મો બોલર બની ગયો છે.

જાડેજા ટીમના અનુભવી ખેલાડીઓમાં સામેલ છે. તેણે 2012માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તે ભારત માટે ત્રણેય ફોર્મેટ રમતો ખેલાડી રહ્યો છે. જોકે 2024 T20 વર્લ્ડ કપ પછી જાડેજાએ T20 ઈન્ટરનેશનલમાંથી સંન્યાસ લઈ લીધો હતો. હવે તે ટીમ ઈન્ડિયા માટે માત્ર ટેસ્ટ અને વન-ડે ફોર્મેટમાં જ ઉપલબ્ધ છે.