Sports

શરતો મૂકી અને દાવ ઊંધો પડ્યો... ડરપોક પાકિસ્તાને 48 કલાકમાં કેમ લેવો પડ્યો યુટર્ન? જાણો ઇનસાઇડ સ્ટોરી

By GS Team
10 Feb 20262 mins read
TukuTouch Logo
T20 વર્લ્ડ કપમાં ભારત સામેની મેચ પહેલા જ મેદાનની બહાર રમાઈ રહેલા હાઇ-વોલ્ટેજ ડ્રામાનો આખરે અંત આવ્યો છે. ભારત સામે બહિષ્કારની ધમકી આપનાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB)ને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) સામે ઝૂકવાની ફરજ પડી છે. છેલ્લા 48 કલાકમાં પાકિસ્તાને જે રીતે યુ-ટર્ન લીધો છે તે દર્શાવે છે કે વૈશ્વિક ક્રિકેટમાં ભારત અને ICCના દબદબા સામે પાકિસ્તાનનું કોઈ જોર ચાલ્યું નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

શરતો મૂકી અને દાવ ઊંધો પડ્યો... ડરપોક પાકિસ્તાને 48 કલાકમાં કેમ લેવો પડ્યો યુટર્ન? જાણો ઇનસાઇડ સ્ટોરી

India vs Pakistan: T20 વર્લ્ડ કપમાં ભારત સામેની મેચ પહેલા જ મેદાનની બહાર રમાઈ રહેલા હાઇ-વોલ્ટેજ ડ્રામાનો આખરે અંત આવ્યો છે. ભારત સામે બહિષ્કારની ધમકી આપનાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB)ને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) સામે ઝૂકવાની ફરજ પડી છે. છેલ્લા 48 કલાકમાં પાકિસ્તાને જે રીતે યુ-ટર્ન લીધો છે તે દર્શાવે છે કે વૈશ્વિક ક્રિકેટમાં ભારત અને ICCના દબદબા સામે પાકિસ્તાનનું કોઈ જોર ચાલ્યું નથી.

શું હતો વિવાદ અને પાકિસ્તાનની શરતો?

T20 વર્લ્ડ કપમાં ભારત સામેની ગ્રૂપ મેચને લઈને PCB દ્વારા વારંવાર વાંધાઓ ઉઠાવવામાં આવી રહ્યા હતા. પાકિસ્તાન બોર્ડે એવી વ્યૂહતનીતિ અપનાવી હતી કે જો તેમની કેટલીક શરતો માનવામાં નહીં આવે તો તેઓ મેચનો બહિષ્કાર કરશે. પીસીબીનું આ વલણ માત્ર મેચ પૂરતું મર્યાદિત નહોતું, પરંતુ તે ક્રિકેટના વૈશ્વિક માળખામાં પોતાની પકડ મજબૂત કરવાનો એક રાજકીય દાવો હતો.

આ પણ વાંચો: ભારતના આ 5 સ્ટાર ખેલાડીઓનું સપનું તૂટ્યું! BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં ન મળ્યું સ્થાન

48 કલાકની અંદર દાવ ઊંધો પડ્યો

જ્યારે પાકિસ્તાને બહિષ્કારની વાત કરી, ત્યારે ICCએ કોઈ પણ જાતની નરમાશ રાખવાને બદલે અત્યાર સુધીનું સૌથી કડક વલણ અપનાવ્યું. ICC એ સ્પષ્ટ સંદેશ આપ્યો કે, નિર્ધારિત શેડ્યુલ મુજબ જ મેચ રમાશે, તેમાં કોઈ પણ પ્રકારનો બદલાવ શક્ય નથી. જો પાકિસ્તાન મેચ રમવાની ના પાડે છે, તો તેને નિયમોનું ઉલ્લંઘન ગણવામાં આવશે. વોકઓવર જાહેર કરવા ઉપરાંત પાકિસ્તાનના પોઇન્ટ કાપી લેવા અને તેના પર મસમોટો નાણાકીય દંડ ફટકારવાની ચીમકી આપવામાં આવી હતી.

કેમ ડર્યું પાકિસ્તાન?

ICCના આ કડક વલણથી પાકિસ્તાન બોર્ડમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જો પાકિસ્તાન મેચ ન રમે તો તેને કરોડો રૂપિયાની બ્રોડકાસ્ટિંગ આવક ગુમાવવી પડે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટ રમવા પર પ્રતિબંધ આવી શકે. આ ઉપરાંત આર્થિક રીતે સંકટમાં રહેલા PCB માટે ICCનું ફંડ બંધ થવું આત્મઘાતી સાબિત થઈ શકે તેમ હતું. આ આર્થિક અને રાજકીય દબાણ હેઠળ, પાકિસ્તાને જે ‘કડક વલણ’ લીધું હતું તે માત્ર 48 કલાકમાં ઓગળી ગયું અને તેઓએ કોઈપણ શરત વગર ભારત સામે રમવાની તૈયારી દર્શાવી દીધી.

મહત્ત્વનું છે કે ભારત અને પાકિસ્તાનનો મુકાબલો ક્રિકેટ જગતનો સૌથી મોટી અને કમાણી કરનારો હોય છે. તેવામાં ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ જોઈ રદ થાય તો ICC, બ્રોડકાસ્ટર્સ અને તમામ બોર્ડ સભ્યોને ભારે નુકસાન થવાની ભીતિ હતી. તેવા સમયે મેચ આયોજન મુજબ રમાશે ત્યારે ક્રિકેટ ઈકોસિસ્ટમ જળવાતા ભારત-પાકિસ્તાન મેચના ચાહકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.