KKRનો મોટો નિર્ણય: સ્ટાર ઓલરાઉન્ડરના સન્માનમાં હવે કોઈ ખેલાડી નહીં પહેરે 12 નંબરની જર્સી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (IMAGE - IANS) |
Kolkata Knight Riders (KKR) retire jersey No.12: કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ પોતાના ઈતિહાસના સૌથી દિગ્ગજ વિદેશી ખેલાડી આન્દ્રે રસેલને એક અભૂતપૂર્વ સન્માન આપ્યું છે. ફ્રેન્ચાઈઝીએ રસેલની આઈકોનિક 12 નંબરની જર્સીને કાયમ માટે રિટાયર કરવાની જાહેરાત કરી છે, જેનો અર્થ છે કે હવે ભવિષ્યમાં KKRનો કોઈ પણ ખેલાડી આ નંબરની જર્સી પહેરી શકશે નહીં. કોલકાતામાં આયોજિત પ્રી-સીઝન કાર્યક્રમ 'નાઈટ્સ અનપ્લગ્ડ' દરમિયાન CEO વેન્કી મૈસૂરે આ ઐતિહાસિક નિર્ણયની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રસેલ એક એવો ખેલાડી છે જેણે ફ્રેન્ચાઈઝી માટે એક આખા યુગની વ્યાખ્યા બદલી નાખી છે અને આ સન્માન તેના શાનદાર પ્રદાન માટે એક ઉચિત ભેટ છે.
KKR સાથે આન્દ્રે રસેલનો 11 વર્ષનો યાદગાર પ્રવાસ
આન્દ્રે રસેલનો KKR સાથેનો પ્રવાસ અત્યંત પ્રભાવશાળી રહ્યો છે. વર્ષ 2014થી 2025 સુધી તે આ ટીમનો અભિન્ન હિસ્સો રહ્યો હતો. પોતાના કરિયરની કુલ 140 IPL મેચમાંથી 133 મેચ તેણે માત્ર કોલકાતા માટે જ રમી છે. રસેલ વર્ષ 2014 અને 2024માં ખિતાબ જીતનારી KKR ટીમનો મહત્ત્વનો સભ્ય હતો. ઉલ્લેખનીય છે કે, 2026ની સીઝન પહેલા તેણે IPLમાંથી નિવૃત્તિ જાહેર કરી છે અને હવે તે ફ્રેન્ચાઈઝી સાથે 'પાવર કોચ' તરીકે નવી ભૂમિકામાં જોડાયો છે.
આ પણ વાંચો: સરકારી નોકરી બાદ રિંકુ સિંહને મળી વધુ એક મોટી જવાબદારી, KKRએ IPL 2026માં કર્યું પ્રમોશન
નાઈટ રાઈડર્સે શરૂ કરી સન્માનની નવી પરંપરા
વેન્કી મૈસૂરે રસેલ સાથેના અંગત અને વ્યાવસાયિક સંબંધોને યાદ કરતા કહ્યું કે, 'ડ્રે રસ' હંમેશા ગર્વ સાથે 12 નંબરની જર્સી પહેરતો હતો અને મેદાન પર તેના પ્રદર્શને ચાહકોને અસંખ્ય વખત ઉત્સાહમાં લાવી દીધા છે. નાઈટ રાઈડર્સની નવી પરંપરા શરૂ કરવાની રીતને આગળ વધારતા, ફ્રેન્ચાઈઝીએ આ નંબરને હંમેશા માટે સુરક્ષિત કરી દીધો છે. આ સન્માન સાથે આન્દ્રે રસેલનું નામ KKRના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકાઈ ગયું છે.









