Sports

'બુમરાહને 1 વર્ષ માટે આરામ આપી દો અને પછી..', વારંવાર ઈજા થતાં દિગ્ગજે જણાવી ફોર્મ્યુલા

By GS Team
6 Aug 20262 mins read
TukuTouch Logo
ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજાને કારણે શ્રીલંકા સામેની 2 ટેસ્ટ મેચની શ્રેણીમાંથી બહાર થયો છે. તેના સ્થાને આકિબ નબીને ટીમમાં લેવાયો છે. પૂર્વ ઓલરાઉન્ડર કરસન ઘાવરીએ બુમરાહને 5-6 મહિના અથવા 1 વર્ષનો બ્રેક આપવાની સલાહ આપી છે. તેમણે 50-60% ફિટ ખેલાડીને ન રમાડવા અને બુમરાહને ટેસ્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું. ઘાવરીએ શમી અને ભુવનેશ્વરને તક આપવાની માંગ કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

'બુમરાહને 1 વર્ષ માટે આરામ આપી દો અને પછી..', વારંવાર ઈજા થતાં દિગ્ગજે જણાવી ફોર્મ્યુલા

Jasprit Bumrah injury update workload management 2026 : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ વધુ એક વખત ઈજાના ગંભીર કારણોસર ક્રિકેટિંગ એક્શનથી દૂર થઈ ગયો છે. ઇંંગ્લૅન્ડ પ્રવાસ દરમિયાન થયેલી ઈજામાંથી તે હજુ સુધી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ શક્યો નથી. જેના કારણે તેને શ્રીલંકા સામેની આગામી 2 ટેસ્ટ મેચની સિરીઝમાંથી સત્તાવાર રીતે બહાર કરવામાં આવ્યા છે. બુમરાહની જગ્યાએ જમ્મુ-કાશ્મીરના યુવા ફાસ્ટ બોલર આકિબ નબીને 15 ઑગસ્ટથી શરૂ થનારી ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

કરસન ઘાવરીની મહત્ત્વપૂર્ણ સલાહ

પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર કરસન ઘાવરીએ બુમરાહની લાંબી કારકિર્દી માટે BCCI અને ટીમ મેનેજમેન્ટને એક મોટી સલાહ આપી છે. ઘાવરીનું માનવું છે કે બુમરાહને વારંવાર ઉતાવળમાં મેદાન પર ઉતારવાને બદલે 5થી 6 મહિના અથવા જો જરૂર પડે તો પૂરા 1 વર્ષનો લાંબો બ્રેક આપવો જોઈએ, જેથી તેઓ સંપૂર્ણપણે ફીટ થઈ શકે.

અધૂરી ફીટનેસ સાથે રમવું જોખમી

બે વર્લ્ડ કપમાં રમી ચૂકેલા કરસન ઘાવરીએ સ્પષ્ટ કર્યું કે 50 અથવા 60 ટકા ફીટ ખેલાડીને ક્યારેય ટીમમાં સામેલ કરવો જોઈએ નહીં. અડધા ફીટ ખેલાડીઓ જ્યારે મોટી સિરીઝમાં મેદાન પર ઉતરે છે ત્યારે વર્કલોડ વધવાને કારણે તેમનું શરીર સાથ છોડી દે છે. આનાથી મેચ દરમિયાન ટીમનું આખું સંતુલન બગડે છે, જે દેશ અને ખેલાડી બંને માટે મોટું નુકસાન સાબિત થાય છે.

ત્રણેય ફોર્મેટ રમવા પર સવાલ

75 વર્ષીય પૂર્વ ક્રિકેટરે બુમરાહ માટે ત્રણેય ફોર્મેટ સતત રમવાને અવ્યવહારુ ગણાવ્યા છે. તેમણે કહ્યું કે બુમરાહનો ઉપયોગ મુખ્યત્વે ટેસ્ટ ક્રિકેટમાં થવો જોઈએ, કારણ કે આ ભારત માટે સૌથી મહત્ત્વપૂર્ણ ફોર્મેટ છે. સતત આઇપીએલ(IPL), ટી20 અને વનડે રમવાથી શરીર પર ભારે દબાણ આવે છે, જેને લાંબા સમય સુધી સહન કરવું મુશ્કેલ બને છે.

અનુભવી બોલરોની વાપસીની માંગ

કરસન ઘાવરીએ અનુભવી બોલરો મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમારને ફરીથી ભારતીય ટીમમાં તક આપવાની માંગ કરી છે. તેમના મતે આ બંને ખેલાડીઓ સતત ફીટ રહ્યા છે અને સારું પ્રદર્શન કરી રહ્યા છે. તેમની વાપસીથી જસપ્રિત બુમરાહ અને અન્ય યુવા બોલરો પરથી વર્કલોડનું દબાણ ઘટી જશે અને ટીમ વધુ મજબૂત બનશે.