For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કબજિયાત નિવારવાના ઉપાયો- વિસ્મય ઠાકર

Updated: Feb 14th, 2018

ઊંઘની અને મનને શાંત કરતી દવાઓ તથા  પેઈનકિલર્સના ઉપયોગથી પણ કબજિયાત થઈ શકે

કબજિયાત નિવારવાના ઉપાયો- વિસ્મય ઠાકરખોરાક જ્યારે પેટમાં જાય ત્યારે હોજરીથી શરૃ કરી મળદ્વાર સુધીની માંસપેશીઓમાં એક પ્રકારના તાલબધ્ધ સંકોચનની ક્રિયા થાય છે. જેને આંકુચન લહરી (Peristalsis) કહેવાય. જેનાં કારણે પાચનક્રિયાના ભાગરૃપે ખોરાક નાના આંતરડામાં જાય. સાથે સાથે મોટાં આંતરડામાં પડયો રહેલો મળ કે કચરો પણ સરકીને નીચે ઉતરે.

આ ક્રિયાનું સંવેદન જ્ઞાાનતંતુ (Nerves) થકી થતાં માણસને હાજત જવાની ઈચ્છા થાય. અને જો આ આખી ક્રિયા બરાબર રીતે ન થાય તો, પેટ પેરતું સાફ ન આવે. મળ પડયો રહી સૂકાઈને ગંઠાઈ જાય. પેટમાં ચૂંક આવે, બેચેની રહે. ખૂબ જોર કરવા છતાં પણ મળ અટકી રહે. આ સ્થિતિ એટલે કબજિયાત (Constipation).

બ્રિટિશ ડૉક્ટર સર વિલિયમ કબજિયાતને એંશી ટકાથી પણ વધુ રોગોને જન્મ આપનારી માતા કહે છે. અમેરિકન આરોગ્યશાસ્ત્રી જે.એચ. કેલૉગ અને 'ઓટો ઈન્ટોફ્રિસકેશન' એટલે પોતાની મેળે પેદા થતં  ઝેર ગણે છે. આંતરડામાં લાંબા સમય સુધી પડી રહેલાં મળમાં સડો (Putrifaction) થતાં પેદા થતું ઝેર (Toxin) લોહીમાં ભળીને જાતજાતના રોગોને જન્મ આપે છે.

જેમ કે લીવર થાઈરોઈડ અને કાકડાનો સોજો, હરસ, મસા, ભગંદર, આંતરડાનું કેન્સર, હોજરી અને મોમાં ચાંદા પડવા, સાંધાનો વા (ગાઉટ), માથાનો દુ:ખાવો, ન્યુરાઈટીસ, અનિંદ્રા, મોઢાની દુર્ગંધ, કાયમી થાક, આળસ વગેરે.

આજના ભાગદોડ ભર્યા સમયમાં રોજ એક વખત સવારે નિશ્ચિત સમયે પેટ સાફ થવું જ જોઈએ એવા નુકસાન કરે એવી રેચક દવાઓના બંધાણી થઈ જતાં માણસોની સંખ્યા ઘણી મોટી છે. વાસ્તવમાં પેટની સફાઈનો આધાર - (૧) કેટલી માત્રામાં ખોરાક લેવાય છે, (૨) ખોરાકમાં રહેલાં રેષા (fibre) અને પાણીનું પ્રમાણ અને (૩) પાચનક્રિયા પર આધાર રાખે છે.

ચાર ટંક ભોજન લેનારને દિવસમાં બે-ત્રણ વખત, બે ટંક ભોજન લેનારને દિવસમાં એક વખત અને ખૂબ ઓછું ખાનાર, ઉપવાસ કરનાર, વૃધ્ધો કે બાળકોને એકાંતરે દિવસ પેટ સાફ આવવું સ્વાભાવિક છે. ભોજન પછી તરત હાજત માટે જવું એ પણ એટલું જ સ્વાભાવિક છે. આવી સ્થિતિને પેટના રોગો કે કબજિયાત સમજવાની ભૂલ ન કરવી.

હવે કબજિયાત નીવારવાના ઉપાય જોઈએ. (૧) મળ ત્યાગ કરવાના સમયે ટેન્શન, ચિંતાજનક વિચારો ન કરવા જોઈએ. જ્ઞાાનતંતુ દ્વારા થતાં હાજરના સંવેદનમાં રૃકાવટ થાય. ક્યારેય પણ હાજત જવાની ઈચ્છાને પ્રયત્ન પૂર્વક રોકવી નહિ.

(૨) હાજત જવા માટે દેશી કમોડની પધ્ધતિ અપનાવવી - જેમાં પગ વાળીને બેસવાથી પેટ પર દબાણ આવે અને સરળતાથી મળોત્સર્ગ થાય. (વધારે પડતું વજન અને પગના સાંધાના દુ:ખાવાની તકલીફવાળી વ્યક્તિઓ માટે આ સ્થિતિનો નિષેધ છે.) હાજત જતાં પહેલાં મળદ્વારમાં દેશી દિવેલ લગાવવું.

(૩) સર્વ રસાયનોમાં શ્રેષ્ઠ એવાં જળનો પર્યાપ્ત માત્રામાં ઉપયોગ કરવો. (એટલે કે રોજના આઠથી દસ પ્યાલા પાણી પીવું.) સવારે ઊઠીને બે-ત્રણ પ્યાલા હુંફાળું-ગરમ કરેલું પાણી નરણાં કોઠે પીવું. પછી હાજત માટે જવું.

(૪) દાડમ, લસણ, કંદમૂળ, મેંદાનો ઉપયોગ વધુ માત્રામાં કરવાથી કબજિયાત થાય. વિટામીનની દવાઓ જેમાં આયર્ન (લોહતત્ત્વ) હોય, ઉધરસની દવાઓ (કોડિનયુક્ત), ઊંઘની અને મનને શાંત કરતી દવાઓ તથાત પેઈનકિલર્સના ઉપયોગથી પણ કબજિયાત થઈ શકે. જેથી આ પ્રકારની ઔષધિઓ વિવેકપૂર્વક લેવી.

(૫) પોલિશ કરેલા ચોખા, ફોતરા કાઢી નાખેલી દાળ, થૂલુ કાઢી નાખેલા ઘઉંનો વપરાશ બંધ કરવો. એની જગ્યાએ હાથ-છડના ચોખા, ફોતરાવાળી દાળ અને ઘઉંનો કરકરો લોટ વાપરવાનો આગ્રહ રાખવો. એમ કરવાથી ખોરાકમાં રેષા (ખૈમિી) અને વિટામીન ધમ્ધનું પ્રમાણ જળવાય છે. ઉપરાંત લીલા શાકભાજી અને તાજાં ફળોનો ઉપયોગ છાલ સાથે કરવાથી સારા એવા પ્રમાણમાં રેષા મળી રહે છે. દિવસ દરમ્યાન ખોરાકમાં ત્રીસથી ચાલીસ ગ્રામ જેટલાં રેષા લેવાં જરૃરી છે.

(૬) ઉતાવળે ખાવાની ટેવ બરાબર નથી. શાંતિપૂર્વક, એકાગ્રચિત્તે, સંતોષથી ભોજન લેવું. ભોજન દરમ્યાન અને ભોજન પછી તરત વધુ પડતું પાણી ન લેવું. જેથી પાચનક્રિયા બંધ થઈ અપચો થાય. ભોજન પછી તલ, ધાણાની દાળ, ગળ્યા આમળા, વરિયાળી જેવા મુખવાસનો ઉપયોગ કરવો.

(૭) બેઠાડું જીવન ત્યાગી, સરળ અને સાદા વ્યાયામને અપનાવવો, સવાર-સાંજ ભોજનના કલાક પછી અડધો કલાક શાંતિપૂર્વક ચાલવાની ટેવ કેળવવી. યથાશક્તિ મુજબ એરોબિક કસરતો કરવી. યોગાસનો જેવા કે ઉત્તાનપાદાસન, શલભાસન, પશ્ચિમોત્તાનાસન, વજાસન, સર્વાંગાસન જાણકારની સલાહ મુજબ કરવા. જેનાથી પેટના સ્નાયુઓ મજબૂત થશે અને આંતરડાની કાર્યક્ષમતા વધશે.

(૮) અડધા કલાક પાણીમાં પલાળી રાખેલાં બે થી ત્રણ નંગ અંજીર બપોરના ભોજન પછી અને વીસ દાણાં કાળી સૂકી દ્રાક્ષ અડધો કલાક પાણીમાં પલાળી રાખી, ખૂબ ચાવી-ચાવીને રાત્રિ ભોજન પછી લેવાં.

(૯) કબજિયાત દૂર કરવા અઠવાડિયે એક વખત કરી શકાય એવો નિર્દોષ પ્રયોગ : ઈસબગુલ, તકમરિયા, આમળા, વરિયાળી સમભાગે, દેશી દિવેલમાં શેકેલી હરડે અડધા ભાગે, મીંઢિયાવળ, સંચળ, અજમો દસમા ભાગે. આ બધાં દ્રવ્યોના ચૂર્ણોના મિશ્રણમાંથી એક ચમચી રાત્રે સૂતી વખતે હુંફાળા પાણી સાથે લેવાથી પેટ સાફ આવશે.
 

Gujarat