Sahiyar

અજમાવી જૂઓ

By GS Team
13 Jul 20261 min read
TukuTouch Logo
મીનાક્ષી તિવારી આપેલી માહિતી મુજબ, ગળાની તકલીફમાં હુંફાળા પાણીના કોગળા, વાસણ ન તૂટે તે માટે ટુવાલનો ઉપયોગ અને અગરબત્તીને ભીની કરવાથી વધુ સુગંધ મળે છે. દીવામાં પરફ્યૂમ ઉમેરવાથી ઘર સુગંધિત થાય છે. વધેલા ભાતમાંથી સ્વાદિષ્ટ પેટિસ બનાવી શકાય છે. ચણાનો લોટ અને હળદરનું દહીં સાથે મિશ્રણ ખીલ ઘટાડવામાં મદદ કરે છે, અને ભોજન બાદ વરિયાળી મુખ દુર્ગંધ દૂર કરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અજમાવી જૂઓ

હુંફાળા પાણીમાં લીંબુનો રસ તેમજ મીઠું ભેળવી કોગળા કરવાથી ગળાની સામાન્ય તકલીફ હોય તો તે દૂર થાય છે.

  • ક્રોકરી ધોતી વખતે સિંક અથવા ટબમાં પહેલા ટુવાલ પાથરી દેવો. જેથી કાચના વાસણો તૂટવાનો ભય રહે નહીં.
  • અગરબત્તી પ્રગટાવ્યા પહેલાં થોડી ભીની કરવાથી તે વધુ ખુશબુ આપશે તેમજ લાંબો સમય ચાલશે.
  • ઘી કે તેલનો દીવો પ્રગટાવતી વખતે તેમાં એક ટીપું પરફ્યૂમ નાખવાથી ઘર મઘમઘમી ઊઠશે.
  • વધેલા ભાતમાં વાટેલા આદુ-મરચાં, ઝીણો સમારેલો કાંદો, લસણ તથા થોડો ચણાનો લોટ ભેળવી તવા પર સ્વાદિષ્ટ પેટિસ ઉતારવી. આમા તમે ઝીણી સમારેલી મેથીની ભાજી પણ નાખી શકો છો.
  • દસ ગ્રામ જેટલો ચણાનો લોટ અને દસ ગ્રામ જેટલી હળદર દહીંમાં ભેળવી ચહેરા પર માલિશ કરવું. સુકાઇ ગયા બાદ ચહેરો ધોઇ નાખવો. ખીલમાં રાહત થશે.
  • દસ ગ્રામ જેટલો ચણાનો લોટ અને દસ ગ્રામ જેટલી હળદર દહીંમાં ભેળવી ચહેરા પર માલિશ કરવું. સુકાઇ ગયા બાદ ચહેરો ધોઇ નાખવો. ખીલમાં રાહત થશે.
  • ભોજન બાદ વરિયાળી ચાવવાથી મુખ દુર્ગંધ દૂર થાય છે.
  • મીનાક્ષી તિવારી