Dharm

ગાયકવાડ સ્ટેટના દીવાનજીને સપનું આવતા જમીન ખોદાવી તો પ્રગટ્યા ‘નાગનાથ મહાદેવ’, જાણો ઇતિહાસ

By GS Team
28 Aug 20262 mins read
TukuTouch Logo
અમરેલી શહેરની મધ્યમાં આવેલા ગાયકવાડી સમયના નાગનાથ મહાદેવ મંદિરમાં બિરાજમાન અલૌકિક શિવલિંગનું પ્રાગટ્ય દીવાનજીને આવેલા સ્વપ્ન બાદ થયું હતું. દીવાનજીની ગાયો એક જગ્યાએ દૂધનો અભિષેક કરતી હતી. ભરવાડે આ વાત દીવાનજીને જણાવતા, તેમણે ખોદકામ કરાવ્યું અને સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું. વિક્રમ સંવત 1869માં 60 હજારના ખર્ચે મંદિર બંધાયું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાયકવાડ સ્ટેટના દીવાનજીને સપનું આવતા જમીન ખોદાવી તો પ્રગટ્યા ‘નાગનાથ મહાદેવ’, જાણો ઇતિહાસ

Nagnath Mahadev: ગાયકવાડી સમયનું આ શિવાલય અમરેલી શહેરની મધ્યમાં આવેલું છે, જ્યાં બિરાજમાન છે ‘નાગનાથ મહાદેવ’. સ્ટેટના દિવાનજીને સપનું આવે છે અને ત્યારબાદ અલૌલિક શિવલિંગનું થાય પ્રાગટ્ય થાય છે. આવો જાણીએ રોચક કથા…

શું છે પૌરાણિક કથા?

એક દંતકથા પ્રમાણે, અમરેલીમાં ગાયકવાડી રાજ ચાલતું હતું. ત્યારે સ્ટેટના દીવાનજી વિઠ્ઠલરાવ દેવાજીની ગાયોને ચરાવવા માટે ભરવાડ જંગલમાં લઈ જતો હતો. એકવાર ભરવાડને વાત ધ્યાને આવી કે, ગાયો દૂધ ઓછું આપે છે. ત્યારે તેણે ગાયો પર નજર રાખવાનું શરૂ કર્યું હતું.

Nagnath Mahadev.jpg

ખોદકામ કરતા સ્વયંભૂ શિવલિંગનું પ્રાગટ્ય થયું

ભરવાડે જોયું તો જાણવા મળ્યું કે, આ ગાયો એક જગ્યાએ આવીને ઉભી રહી જતી અને આંચળમાંથી દૂધની ધારા વહેવડાવતી હતી. તે થોડીવાર માટે આ દૃશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો. પછી પાછા ફર્યા બાદ ભરવાડે આ સમગ્ર ઘટનાની વાત દીવાનજીને કરી. ત્યારબાદ દીવાનજીને રાત્રે સ્વપ્ન આવ્યું હતું અને તેમણે આ જગ્યા પર ખોદકામ કરાવ્યું હતું. આ દરમિયાન ત્યાંથી દેવાધિદેવ મહાદેવનું સ્વયંભૂ શિવલિંગનું પ્રાગટ્ય થયું હતું.

Nagnath Mahadev (1).jpg

દીવાનજીએ મહાદેવનું મંદિર બંધાવ્યું

દીવાનજીએ આ જગ્યા પર મંદિર બાંધવાનો સંકલ્પ કર્યો હતો. વિક્રમ સંવત 1869ના રોજ મંદિરનો પાયો નાંખવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. તે સમયે નાગનાથ મહાદેવનું મંદિર બનાવવા માટે અંદાજે 60 હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો. સરકારે ઇસ 1972 સુધી મંદિરનો વહીવટ સંભાળ્યો હતો અને ત્યારબાદ ટ્રસ્ટની રચના કરી હતી. મંદિરનો વહીવટ સોંપી દેવામાં આવ્યો હતો.

Nagnath Mahadev (2).jpg

શ્રાવણ માસના પાવન પર્વે મોટી સંખ્યામાં શિવભક્તો જય નાગનાથના નાદ સાથે શિવજીને બીલીપત્રો અને દૂધની ધારા સહિત પુષ્પોથી અભિષેક કરી ભોળાનાથના આર્શીવાદ મેળવે છે. સવારમાં શિવજીની આરતીનો લ્હાવો લેવા નાગનાથમાં શિવભકતોની ભીડ જામે છે.