India

20 ટકા ઈથેનોલ છતાં કેમ સસ્તું નથી મળતું પેટ્રોલ? સરકારે આપ્યા 10 સવાલોના જવાબ

By GS Team
10 Jul 20262 mins read
TukuTouch Logo
દેશમાં E20 પેટ્રોલ સસ્તું ન મળવા અંગે સરકારે ખુલાસો કર્યો છે. પેટ્રોલિયમ મંત્રાલય મુજબ, ખેડૂતોને મદદરૂપ થવા ₹71.86 પ્રતિ લિટરના ઊંચા ભાવે ઈથેનોલ ખરીદાય છે. હાલમાં ક્રૂડ ઓઈલ સસ્તું હોવાથી E20 મોંઘું પડે છે. મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોને વૈશ્વિક ભાવ વધારાથી બચાવવાનો અને વિદેશી મુદ્રા બચાવવાનો છે. વાહન નુકસાનના અહેવાલો ભ્રામક છે.

Summarized by AI; it may make mistakes. Check important info

20 ટકા ઈથેનોલ છતાં કેમ સસ્તું નથી મળતું પેટ્રોલ? સરકારે આપ્યા 10 સવાલોના જવાબ

Government On E20 Controversy : દેશભરમાં 20 ટકા ઈથેનોલ મિશ્રિત E20 પેટ્રોલને લઈને લોકોના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે જો પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ ભેળવવામાં આવે છે, તો તે સામાન્ય પેટ્રોલ કરતાં સસ્તું કેમ નથી મળતું? આ અંગે સરકારે મોટો ખુલાસો કર્યો છે.

ખેડૂતોને ફાયદો કરાવવા સરકાર મોંઘા ભાવે ખરીદે છે ઈથેનોલ
પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું કે E20 પેટ્રોલ સામાન્ય પેટ્રોલ કરતાં સસ્તું નથી, કારણ કે ભારતીય ખેડૂતોને આર્થિક મદદ મળી રહે તે માટે સરકાર તેમની પાસેથી 71.86 રૂપિયા પ્રતિ લીટરના ઊંચા અને નક્કી કરેલા ભાવે ઈથેનોલ ખરીદે છે. વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમત લગભગ 70 ડોલર પ્રતિ બેરલ હોવાને કારણે, અત્યારે ઈથેનોલનું બ્લેન્ડિંગ કરવું પરંપરાગત પેટ્રોલ કરતાં મોંઘું પડે છે. ભવિષ્યમાં જો કાચા તેલની કિંમત 120 ડોલરથી ઉપર જશે, ત્યારે જ E20 પેટ્રોલની કિંમત ઓછી થઈ શકશે.

કિંમતો ઘટાડવી એ મુખ્ય હેતુ નથી
સરકારે સ્પષ્ટ કર્યું છે કે E20 પેટ્રોલ લાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય પંપ પર કિંમતો ઘટાડવાનો નથી. તેનો અસલી હેતુ વૈશ્વિક બજારમાં ઈંધણની કિંમતોમાં અચાનક થતા વધારા અને સપ્લાયના ઉતાર-ચઢાવથી ગ્રાહકોને બચાવવાનો છે. આ ઉપરાંત તેનાથી દેશની ભારે માત્રામાં વિદેશી મુદ્રા પણ બચી રહી છે.

ભ્રામક સમાચારો પર સરકારની સ્પષ્ટતા
સોશિયલ મીડિયા પર E20 પેટ્રોલને કારણે ગાડીઓને નુકસાન થતું હોવાના અહેવાલો વહેતા થયા હતા. આ અંગે સરકારે કહ્યું કે, '20 ટકા ઈથેનોલવાળા પેટ્રોલને લઈને ખોટી અને ભ્રામક માહિતી ફેલાવવામાં આવી રહી છે, જે તદ્દન ખોટી છે.' આ આખો કાર્યક્રમ વૈજ્ઞાનિક અભ્યાસ, વૈશ્વિક અનુભવો અને સુરક્ષાના નિયમોને આધારે તૈયાર કરાયો છે.

સરકારે આપેલા 10 મહત્વના જવાબો

  1. પાણીનો વધારે બગાડ થતો હોવાનો દાવો ખોટો છે.
  2. દેશની ખાદ્ય સુરક્ષા સાથે કોઈ સમાધાન કરવામાં આવ્યું નથી.
  3. E20 કોઈ નવો 'પ્રયોગ' નથી, તે સફળ ટેકનોલોજી છે.
  4. આનાથી ગાડીઓનું એન્જિન ખરાબ થવાની વાત બિલકુલ પાયાવિહોણી છે.
  5. વાહનોની માઇલેજ પર કોઈ મોટી નકારાત્મક અસર પડતી નથી.
  6. ગાડીની વોરંટી અને વીમા પર કોઈ ખતરો નથી.
  7. ઈથેનોલના કારણે કીડીઓ કે મધમાખીઓ આકર્ષિત થાય તેવો દાવો મનઘડંત છે.
  8. સુપ્રીમ કોર્ટમાં 'પ્રયોગ' શબ્દનો ખોટો સંદર્ભ લેવામાં આવ્યો છે.
  9. પેટ્રોલમાં સીધો શેરડીનો રસ મેળવતા હોવાના વીડિયો તદ્દન ફેક અને નકલી છે.
  10. આનાથી પર્યાવરણ અને દેશની અર્થવ્યવસ્થાને ખૂબ મોટો ફાયદો થઈ રહ્યો છે.