India

હરિયાણા ભાજપના ચૂંટણીના ઉમેદવારો જાહેર કરવામાં વિલંબનું કારણ શું?, સમજો 90 બેઠકનું ગણિત

By GS Team
1 Sep 20242 mins read
This article was originally published on 1 Sep 2024
TukuTouch Logo
હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ તૈયારી કરી લીધી છે. પક્ષોએ તમામ રાજકીય સમીકરણોને પોતાની જીત મેળવવા માટે ગોઠવી દીધા છે. ચૂંટણીની તારીખને લઈને મૂંઝવણ હતી, તે પણ હવે ઉકેલાઈ ગઈ. આ ચૂંટણીમાં ભાજપ પૂરી તૈયારી સાથે આગળ વધી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હરિયાણા ભાજપના ચૂંટણીના ઉમેદવારો જાહેર કરવામાં વિલંબનું કારણ શું?, સમજો 90 બેઠકનું ગણિત

Haryana Assembly Election 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ તૈયારી કરી લીધી છે. પક્ષોએ તમામ રાજકીય સમીકરણોને પોતાની જીત મેળવવા માટે ગોઠવી દીધા છે. ચૂંટણીની તારીખને લઈને મૂંઝવણ હતી, તે પણ હવે ઉકેલાઈ ગઈ. આ ચૂંટણીમાં ભાજપ પૂરી તૈયારી સાથે આગળ વધી રહ્યું છે. 

ભાજપે તમામ બેઠકો પર પહેલું સર્વે કરી લીધું છે. દરેક બેઠક પરના વર્તમાન ધારાસભ્યની સાથે તેમની બેઠક પર ચૂંટણી લડવા માટે લાયક અન્ય નેતાઓના નામની ચર્ચા કરવામાં આવી હતી. અને ત્યારબાદ બેઠકો પર રાજકીય સમીકરણ પર કયો ઉમેદવાર સાચો ઉતરે છે તેની પણ તૈયારી થઇ ગઈ છે.

વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કપાઈ શકે

ભાજપના સૂત્રોના જણાવ્યું અનુસાર, સર્વેમાં પ્રતિસાદ સારો મળ્યો નથી તેવા લગભગ 10 થી 15 ટકા વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કપાઈ શકે છે. તમામ 90 બેઠકો માટે નામો ફાઈનલ થઈ ગયા છે. કોંગ્રેસ સહિત અન્ય પક્ષો શું રણનીતિ અપનાવે છે તેની રાહ જોવાની છે. આ સિવાય કેટલાક નામ બદલી પણ શકાય છે. જો કે 25 બેઠકો પર નામો લગભગ નિશ્ચિત થઇ ગયા છે. આ તમામ ભાજપના જૂના ચહેરા અથવા અન્ય પક્ષોના દિગ્ગજ નેતાઓ અથવા તેમના પરિવારના સભ્યો છે. ભાજપને આશા છે કે તેઓ માત્ર પોતાની બેઠક પર જ નહીં પરંતુ આસપાસની બેઠકો પર પણ પક્ષ માટે ફાયદાકારક સાબિત થશે.

આ પણ વાંચો: કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ સજ્જ; સોનિયા-રાહુલ ગાંધી સહિત 40 સ્ટાર પ્રચારકો જાહેર

નેતાઓ બળવો કરે તેની રાહ જોવાઈ રહી છે

ઉમેદવારોની યાદીમાં વિલંબને લઈને ભાજપ વિધાનસભાના ઉમેદવારોના નામની જાહેરાત બાદ કોઈપણ પ્રકારનો જૂથવાદ ઈચ્છતું નથી. તેમજ જનનાયક જનતા પક્ષ (JJP), ચંદ્રશેખર આઝાદનો પક્ષ, બહુજન સમાજ પક્ષ. આમ આદમી પક્ષ અને ઈન્ડિયન નેશનલ લોકદળ જેવા પક્ષ ભાજપ અને કોંગ્રેસ પક્ષોના નેતાઓ બળવો કરીને પોતાના પક્ષમાંથી ચૂંટણી લડે તેની જ રાહ જોઈ રહ્યા છે. ભાજપ કોઈપણ પક્ષને આવી તક આપવા ઇચ્છતું નથી.

ભાજપને ચૂંટણીમાં મોટો ફટકો પડી શકે 

તાજેતરમાં પ્રી-પોલ સર્વે હાથ ધરાયો હતો. આ સર્વેમાં હરિયાણાના 67,500 લોકોએ ભાગ લીધો હતો. આ સર્વેના અંદાજ અનુસાર કોંગ્રેસ આ વખતે સૌથી મોટો પક્ષ તરીકે સામે આવી શકે છે. તેને 58-65 જેટલી બેઠકો મળી શકે છે. જ્યારે ભાજપને માત્ર 20-29 બેઠકો મળવાનું અનુમાન છે. ભાજપ આ બધા કારણે સાવધાન થઈ ગયું છે અને બેઠકોની જાહેરાતમાં વિલંબ કરી રહ્યું છે. દરેક બેઠક પર સમીકરણો ફરી તપાસવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત અન્ય પક્ષોના ઉમેદવારોની પસંદગી પર પણ નજર રાખવામાં આવી રહી છે.