India

નવી કાર ખરીદતા પહેલાં 100 વાર વિચારજો!, E20 વિવાદ મામલે કેજરીવાલની લોકોને અપીલ; જાણો કારણ

By GS Team
6 Aug 20262 mins read
TukuTouch Logo
આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારની પેટ્રોલ-ડીઝલમાં ઇથેનોલ મિશ્રણ નીતિ સામે સવાલ ઉઠાવ્યા છે. તેમણે દાવો કર્યો કે સરકારે પહેલા E20 પેટ્રોલ લાગુ કર્યું, અને ભવિષ્યમાં તેમાં 50% ઇથેનોલ મિશ્રણ કરવાની યોજના છે. કેજરીવાલે જૂની અને નવી ગાડીઓના નુકસાનની આશંકા વ્યક્ત કરી, અને લોકોને આગામી થોડા વર્ષો સુધી પેટ્રોલ-ડીઝલ ગાડીઓ ન ખરીદવાની સલાહ આપી છે. આ નીતિથી પંજાબમાં 1000 કરોડનું નુકસાન થયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નવી કાર ખરીદતા પહેલાં 100 વાર વિચારજો!, E20 વિવાદ મામલે કેજરીવાલની લોકોને અપીલ; જાણો કારણ

Arvind Kejriwal E20 E50 petrol blending policy India : આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પેટ્રોલ અને ડીઝલમાં ઇથેનલોલના મિશ્રણને લઈને કેન્દ્ર સરકાર પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દાવો કર્યો છે કે સરકારે અગાઉ E20 પેટ્રોલ લાગુ કર્યું છે અને હવે ભવિષ્યમાં તેમાં 50 ટકા સુધી ઇથેનલોલ મિશ્રિત કરવાની યોજના બનાવી રહી છે. સરકાર હાલમાં માત્ર વાતાવરણ શાંત થવાની રાહ જોઈ રહી છે.

જૂની ગાડીઓ અને વાહનચાલકોની સમસ્યાઓ

કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે સરકારે પહેલા E0 અને E10 વાળી જૂની ગાડીઓમાં E20 પેટ્રોલ નંખાવીને તેને નકામી બનાવી દીધી છે. હવે જે લોકો નવી E20 ગાડીઓ ખરીદી રહ્યા છે, આગામી સમયમાં તેમાં પણ 50 ટકા ઇથેનલોલ નાખીને તેનું નુકસાન કરવામાં આવશે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે નાગરિકોને સલાહ આપી છે કે હાલ આગામી થોડા વર્ષો સુધી પેટ્રોલ અને ડીઝલની નવી ગાડીઓ ખરીદવાનું ટાળવું જોઈએ, કારણ કે સરકાર ભવિષ્યમાં ડીઝલમાં પણ મિશ્રણ કરી શકે છે.

image.png

બજાર પર અસર અને આર્થિક નુકસાન

એક અહેવાલ મુજબ પંજાબમાં E20 પેટ્રોલ લાગુ થયા બાદ જૂની પેટ્રોલ ગાડીઓનું બજાર આશરે 1000 કરોડ રૂપિયા સુધી ઘટી ગયું છે. ડીલરોનું કહેવું છે કે ગ્રાહકો હવે ડીઝલ વાહનો અને ઇલેક્ટ્રિક વાહનો તરફ આગળ વધી રહ્યા છે. આ નીતિના કારણે ઓટોમોબાઈલ માર્કેટમાં મોટો ફેરફાર અને અનિશ્ચિતતા જોવા મળી રહી છે, જે સામાન્ય નાગરિકોના બજેટને પણ સીધી અસર કરી રહી છે.

ઇથેનલોલ મિશ્રણના ફાયદા અને ગેરફાયદા

E20 નો અર્થ 20 ટકા ઇથેનલોલ યુક્ત પેટ્રોલ છે. સરકારનું માનવું છે કે આનાથી વાહનોમાંથી નીકળતો કાર્બન ઓછો થશે અને કાચા તેલની આયાતનો ખર્ચ ઘટશે. જોકે, આ નીતિને લઈને ચર્ચાઓ પણ તેજ છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર E20 નો ઉપયોગ કરવાથી ગાડીઓની માઇલેજમાં 2 થી 6 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. હાલમાં સરકાર તરફથી 50 ટકા મિશ્રણ કે ડીઝલ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ આ નિવેદનથી સમગ્ર દેશમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.