India

હવે શું કરશે કેજરીવાલ? દિલ્હીમાં AAPના પરાજય બાદ દેખાશે 7 અસર

By GS Team
8 Feb 20254 mins read
This article was originally published on 8 Feb 2025
TukuTouch Logo
AAP છેલ્લા 10 વર્ષથી દિલ્હીમાં સત્તામાં હતું, પરંતુ ત્રીજા પ્રયાસમાં કેજરીવાલ ટીમને હારનો સામનો કરવો પડ્યો. પાર્ટીના વડા કેજરીવાલ પણ પોતાની બેઠક ગુમાવી બેઠા છે. છેલ્લા 5 વર્ષોમાં દિલ્હીનું રાજકારણ ખૂબ જ ગરમાયું છે. કેજરીવાલ એન્ડ કંપની પર અનેક સવાલો રહ્યા હતા. પરંતુ કેજરીવાલ પ્રશ્નોને નકારતા રહ્યા. તેથી તેમને જનતા તરફથી આ જવાબ મળ્યો છે. દિલ્હીમાં 27 વર્ષ પછી ભાજપ સત્તામાં પાછી આવી છે. હવે જ્યારે દિલ્હીમાં AAPનો સફાયો થઈ ગયો છે, તો ચાલો સમજીએ કે આવનારા સમયમાં કેજરીવાલ, આમ આદમી પાર્ટી અને વિપક્ષના રાજકારણ પર શું અસર પડી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હવે શું કરશે કેજરીવાલ? દિલ્હીમાં AAPના પરાજય બાદ દેખાશે 7 અસર

Delhi Election 2025 : AAP છેલ્લા 10 વર્ષથી દિલ્હીમાં સત્તામાં હતું, પરંતુ ત્રીજા પ્રયાસમાં કેજરીવાલ ટીમને હારનો સામનો કરવો પડ્યો. પાર્ટીના વડા કેજરીવાલ પણ પોતાની બેઠક ગુમાવી બેઠા છે. છેલ્લા 5 વર્ષોમાં દિલ્હીનું રાજકારણ ખૂબ જ ગરમાયું છે. કેજરીવાલ એન્ડ કંપની પર અનેક સવાલો રહ્યા હતા. પરંતુ કેજરીવાલ પ્રશ્નોને નકારતા રહ્યા. તેથી તેમને જનતા તરફથી આ જવાબ મળ્યો છે. દિલ્હીમાં 27 વર્ષ પછી ભાજપ સત્તામાં પાછી આવી છે. હવે જ્યારે દિલ્હીમાં AAPનો સફાયો થઈ ગયો છે, તો ચાલો સમજીએ કે આવનારા સમયમાં કેજરીવાલ, આમ આદમી પાર્ટી અને વિપક્ષના રાજકારણ પર શું અસર પડી શકે છે.

આ પણ વાંચો : Delhi Election Results LIVE: ભાજપની લહેરમાં ઝાડૂ વિખેરાયું, AAPના મહારથીઓ પણ 'બોલ્ડ'

1. બ્રાન્ડ કેજરીવાલ ધ્વસ્ત

ભ્રષ્ટાચાર વિરુદ્ધનો ચહેરો. સ્વચ્છ શાસન અને વહીવટ પૂરો પાડવાની સમજ. સ્પષ્ટ દ્રષ્ટિકોણ. રાજકારણમાં ભાજપ અને કોંગ્રેસના વિકલ્પ બનવાની ક્ષમતા. બધું જ કહેવામાં આવ્યું. કેન્દ્રીય એજન્સીઓનો હાથે ચડ્યા બાદ કેજરીવાલને ઘણું ગુમાવવું પડ્યું. દિલ્હીના પરિણામોએ 'બ્રાન્ડ કેજરીવાલ' સાથે સંકળાયેલા બધા જ ચમકદાર વિશેષણોને ફીકા પડી ગયા છે. 

2. ફ્રીબીઝ રાજકારણ નિષ્ફળ 

ફ્રીબીઝ રાજકારણને સંસ્થાગત રુપ આપવામાં આવ્યું. એ પછી તેને ઘણી કોંગ્રેસ સરકારોએ અપનાવ્યું. ભાજપ સરકારોએ પણ ચૂંટણી રાજકારણનો આ સરળ રસ્તો અપનાવ્યો. આ વખતે પણ કેજરીવાલ જૂની મફત ભેટોની સાથે ઘણી બધી મફત ભેટો લઈને આવ્યા હતા. પરંતુ  જનતાએ તેનો સ્વીકાર ન કર્યો. ચોક્કસપણે મતદારોની આ પરિપક્વતા આગામી સમયમાં રાજકીય પક્ષો માટે એક પાઠ બની શકે છે, જે દેશહિતમાં હોઈ શકે છે.

3. આપમાં સ્થિરતા આવી શકે છે

આપનો વિસ્તાર પહેલેથી જ સ્થિર હતો, હવે વિસ્તારની શક્યતાઓ વધુ ઓછી થઈ જશે. કેજરીવાલે ગોવા, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, હરિયાણા, કર્ણાટક અને કેટલાક અન્ય રાજ્યોમાં પાર્ટીનો પાયો નાખ્યો, પરંતુ સંપૂર્ણ ઇમારત ક્યાંય ન ન બની. કેટલીક જગ્યાએ પાયાની ઇંટો અને પથ્થરો વિખેરાઈ ગઈ. હવે આગામી 5 વર્ષ માટે કેજરીવાલને દિલ્હીમાં પોતાનું અસ્તિત્વ પાછું મેળવવા પર ફોકસ કરવાની ફરજ પડશે. જો આવું થશે, તો અન્ય રાજ્યોમાં પાર્ટીના વિસ્તારની શક્યતાઓ વધુ ઘટી જશે.

4. ભ્રષ્ટાચાર 

કેજરીવાલ અને તેમના બધા મોટા નેતાઓ હાલમાં જ જેલમાંથી પાછા ફર્યા છે. હવે તેમને દિલ્હીની જનતાએ નકારી કાઢ્યા છે, જેમણે તેમને પોતાનો પહેલો પ્રેમ આપ્યો હતો. દિલ્હીનો જનાદેશ કેજરીવાલ અને કંપની પર વધુ કડક કાર્યવાહી કરીને ઊભી થયેલી રાજકીય મૂંઝવણનો અંત લાવી શકે છે. જો આવું થયું તો આવનારા સમયમાં કેજરીવાલ અને તેમના સહયોગીઓને ભ્રષ્ટાચારના કેસોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

5. વિપક્ષી એકતા ધ્વસ્ત

લોકસભા ચૂંટણી દરમિયાન દિલ્હીમાં કોંગ્રેસ અને AAP ભાગીદાર હતા. જેને માંડ 8 મહિના થયા છે. નહેરુ-ગાંધી પરિવારે પોતે AAP ઉમેદવારને મત આપ્યો છે. આ વિધાનસભા ચૂંટણીમાં બંને અલગ-અલગ રીતે લડ્યા, એટલું જ નહીં, તેમના સંબંધો પણ બગડી ગયા. ચોક્કસપણે, નજીકના ભવિષ્યમાં ઇન્ડિયા બ્લોક (અથવા તેનું નામ ગમે તે હોઈ શકે) ની એકતાની અપેક્ષા રાખવી નિરર્થક હશે.

આ પણ વાંચો : Delhi Elections Result: PM મોદીનો એ છેલ્લો 'માસ્ટરસ્ટ્રોક' જેણે બગાડ્યો કેજરીવાલનો ખેલ

6. બિહાર ચૂંટણી પર અસર

બિહારમાં ન તો કેજરીવાલનો કોઈ પ્રભાવ કે ચમક છે અને ન તો AAPનો કોઈ આધાર છે. પરંતુ દિલ્હીના પરિણામો પછી ભાજપ વિરોધી પક્ષો વચ્ચે શરૂ થનારા ઝઘડાની અસર બિહારમાં મહાગઠબંધન પર પડશે. કોંગ્રેસ પર દિલ્હીમાં AAPનો ખેલ બગાડવાનો આરોપ લાગશે. જો આ બધું થશે, તો બિહારમાં મહાગઠબંધનની ચૂંટણીની સંભાવનાઓને ચોક્કસપણે નુકસાન પહોંચી શકે છે.

7. કોંગ્રેસ-આપ વચ્ચે કડવાશ

દિલ્હી ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના શબ્દો AAP માટે ખૂબ જ તીખા રહ્યા હતા. AAPની વિરુદ્ધ  કોંગ્રેસ લગભગ ભાજપની લાઈન પર જોવા મળી હતી. કોંગ્રેસના ટોચના નેતાઓએ પણ આમ આદમી પાર્ટી પર ઘણી ગંભીર ટિપ્પણીઓ કરી હતી. રાહુલ અને પ્રિયંકાએ પોતે AAPના મોરચાના નેતૃત્વને પણ છોડ્યું નહીં. કેજરીવાલના વ્યક્તિત્વ અને સ્વભાવને જોતાં એમ કહી શકાય કે તેઓ કદાચ કોંગ્રેસ સાથેની આ દુશ્મનાવટને લાંબા સમય સુધી યાદ રાખશે. દિલ્હીમાં હારી ગયેલા અને પોતાની સીટ પર કોંગ્રેસના મતો કાપવા બદલ સંદીપ દીક્ષિતથી નારાજ કેજરીવાલ ઘણી જગ્યાએ કોંગ્રેસ માટે રમત બગાડી શકે છે. જોકે, AAP થી સ્પષ્ટ અંતર લાંબા ગાળે કોંગ્રેસ માટે નફાકારક સોદો રહેશે કે ફાયદો થશે, એ તો એક અલગ વિશ્લેષણનો વિષય છે.