India

'સેકન્ડ ક્લાસ મુસાફર' શબ્દ બંધારણ વિરોધી, સુપ્રીમ કોર્ટનો રેલવે અંગે ઐતિહાસિક ચુકાદો

By GS Team
17 Jul 20261 min read
TukuTouch Logo
સુપ્રીમ કોર્ટે ભારતીય રેલવેમાં મુસાફરોની સુરક્ષા અને સુધારા અંગે મહત્ત્વનો નિર્ણય આપ્યો છે. જસ્ટિસ સંય કરોલ અને એન.કોટિશ્વર સિંહની બેંચે 'સેકન્ડ ક્લાસ મુસાફર' શબ્દને બંધારણ વિરોધી ગણાવ્યો છે. કોર્ટે નિર્દેશ આપ્યો છે કે હવે મુસાફરોને બદલે ટ્રેનના કોચના આધારે શ્રેણી નક્કી કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે રેલવેમાં કર્મચારીઓની સંખ્યા વધારવાની પણ ભલામણ કરી છે, જેનાથી સુરક્ષા અને સુવિધાઓ સુધરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

'સેકન્ડ ક્લાસ મુસાફર' શબ્દ બંધારણ વિરોધી, સુપ્રીમ કોર્ટનો રેલવે અંગે ઐતિહાસિક ચુકાદો

Supreme Court On Railway's Second Class Passenger Term : સુપ્રીમ કોર્ટે ભારતીય રેલવેમાં સુધારો અને મુસાફરોની સુરક્ષા અંગે મોટો નિર્ણય સંભળાવ્યો છે. જસ્ટિસ સંય કરોલ અને જસ્ટિસ એન. કોટિશ્વર સિંહની બેંચે રેલવેના દસ્તાવેજોમાં લખાયેલ 'સેકન્ડ ક્લાસ મુસાફર' શબ્દથી તીવ્ર વાંધો ઉઠાવ્યો છે.

રકમના આધારે નહીં, પણ કોચ આધારે કેટેગરી નક્કી કરવા નિર્દેશ

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, ભારતના ઇતિહાસમાં વર્ગ વિભાગને ધ્યાને રાખીને કોઈપણ વ્યક્તિનો 'સેકન્ડ ક્લાસ મુસાફર' તરીકે ઉલ્લેખ કરવો તે બંધારણ વિરોધી છે, તેથી મુસાફરના બદલે રેલવે કોચ કે ડબ્બા માટે શ્રેણીનો ઉલ્લેખ કરવો વધુ યોગ્ય રહેશે. કોર્ટે આદેશ આપ્યો છે કે, મુસાફરોએ ચૂકવેલ રકમના આધારે નહીં, પરંતુ ટ્રેનના કોચના આધારે કેટેગરી નક્કી કરવી જોઈએ, જેમાં તે વ્યક્તિ સફર કરવાનો છે. એટલે કે હવે કેટેગરીનો ઉલ્લેખ મુસાફરના બદલે માત્ર કોચના સંદર્ભમાં જ કરવો જોઈએ.

રેલવેમાં કર્મચારીઓ વધારો : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે રેલવે સુરક્ષા વ્યવસ્થા અને મુસાફરોની સુવિધાને લગતા મુદ્દા પર ટિપ્પણી કરતાં કહ્યું કે, ‘રેલવેની મોટાભાગની સુવિધાઓને અસરકારક રીતે લાગુ કરવા માટે વધુ કર્મચારીઓની જરૂર છે. રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં કામ કરતાં કર્મચારીઓની સંખ્યા વધારવી પડશે. દેશમાં આધુનિકીકરણના યુગમાં રેલવેમાં યુવાઓને રોજગાર આપવાથી તેઓને કાયમ આજીવિકા મળશે, આ ઉપરાંત મુસાફરોનો જીવ બચાવવામાં પણ મદદ મળશે.