India

એ મુસ્લિમ ભક્ત જેની મજાર પર આજે પણ રોકાય છે ભગવાન જગન્નાથનો રથ, જાણો કારણ

By GS Team
16 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ અને પુરીમાં 16 જુલાઈ, 2026થી વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ થશે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગર ચર્ચાએ નીકળશે. રથયાત્રા દરમિયાન ભગવાનનો રથ ભક્ત સાલબેગની સમાધિ સામે રોકાશે. મુસ્લિમ હોવા છતાં સાલબેગની અનન્ય ભક્તિથી પ્રસન્ન થઈ, ભગવાને તેમને આ આશ્વાસન આપ્યું હતું. આ કથા નિષ્કપટ ભક્તિનું મહત્વ દર્શાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એ મુસ્લિમ ભક્ત જેની મજાર પર આજે પણ રોકાય છે ભગવાન જગન્નાથનો રથ, જાણો કારણ

Jagannath Rath Yatra 2026 : ગુજરાતના અમદાવાદ અને ઓડિશાના પુરીમાં 16 જુલાઈ 2026થી વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, જેમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગર ચર્ચાએ નીકળશે. ભગવાન જગન્નાથની મહિમા સાથે જોડાયેલી અનેક લોકમાન્યતાઓમાં ભક્ત સાલબેગની કથા સૌથી વધુ પ્રચલિત છે. આજે પણ રથયાત્રા દરમિયાન મહાપ્રભુનો રથ ભક્ત સાલબેગની સમાધિ સામે થોડીવાર માટે ચોક્કસ રોકાય છે, જે સાબિત કરે છે કે ભગવાન માટે સાચી શ્રદ્ધા જ સર્વોપરી છે.

રથ અચાનક થંભી જવાની લોકવાયકા
લોક માન્યતા અનુસાર, એકવાર જ્યારે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા શ્રીમંદિરથી ગુંડીચા મંદિર તરફ આગળ વધી રહી હતી, ત્યારે હજારો શ્રદ્ધાળુઓ દ્વારા ખેંચવામાં આવતો રથ અચાનક એક જગ્યાએ આવીને ઉભો રહી ગયો હતો. લોકોના તમામ પ્રયાસો છતાં રથ આગળ ન વધ્યો. તે સમયે ભીડમાંથી એક વૃદ્ધ વ્યક્તિએ સામે આવેલી ભક્ત સાલબેગની સમાધિ તરફ લોકોનું ધ્યાન દોર્યું. ત્યારબાદ જ્યારે શ્રદ્ધાળુઓએ ભગવાન જગન્નાથની સાથે 'જય ભક્ત સાલબેગ'નો જયઘોષ કર્યો, ત્યારે જ રોકાયેલો રથ ફરી આગળ ચાલવા માંડ્યો હતો. આ ઘટના બાદ ભગવાન પોતાના ભક્તના સન્માનમાં અહીં રોકાતા હોવાની માન્યતા દ્રઢ થઈ.

કોણ હતા ભક્ત સાલબેગ?
મુઘલકાળ દરમિયાન જન્મેલા સાલબેગના પિતા મુસ્લિમ અને માતા હિન્દુ હતા. એક યુદ્ધમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ માતાની સલાહથી તેમણે ભગવાન જગન્નાથનું શરણ લીધું હતું. પુરી પહોંચ્યા પછી મુસ્લિમ હોવાના કારણે તેમને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી ન મળી, તેથી તેઓ મંદિરની બહાર રહીને જ પ્રભુનું નિરંતર ભજન કરવા લાગ્યા હતા. તેમની અનન્ય ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાને તેમને આશ્વાસન આપ્યું હતું કે ભવિષ્યમાં તેમની રથયાત્રા સાલબેગના સ્થાન પર રોકાયા વિના ક્યારેય આગળ નહીં વધે. આ કથા સંદેશ આપે છે કે ભગવાન માટે જાતિ, ધર્મ કે જન્મ નહીં, પણ નિષ્કપટ ભક્તિ જ મહત્વની છે.