India

'આંદોલન દબાવવાથી ઉકેલ નહીં આવે', અન્ના હજારેએ દિલ્હી પોલીસની કાર્યવાહી સામે ઉઠાવ્યા સવાલ

By GS Team
18 Jul 20262 mins read
TukuTouch Logo
દિલ્હી પોલીસે સોનમ વાંગચુકને સફદરજંગ હોસ્પિટલમાં ખસેડ્યા બાદ અન્ના હજારેએ પ્રતિક્રિયા આપી છે. 20 દિવસના અનશન બાદ તેમની તબિયત લથડી હતી. અન્નાએ સરકારને સંવાદ કરવા અપીલ કરી, કહ્યું કે માંગણીઓ પર હા કે ના, પણ વાતચીત જરૂરી છે. NEET કૌભાંડ અને પેપર લીક મુદ્દે વાંગચુક જંતર-મંતર પર આંદોલન કરી રહ્યા હતા, જેમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની મુખ્ય માંગ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'આંદોલન દબાવવાથી ઉકેલ નહીં આવે', અન્ના હજારેએ દિલ્હી પોલીસની કાર્યવાહી સામે ઉઠાવ્યા સવાલ

Anna Hazare On Sonam Wangchuk : દિલ્હી પોલીસ તરફથી સોનમ વાંગચુકને સફદરજંગ હોસ્પિટલ લઈ જવાયા બાદ અન્ના હજારેએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, વાંગચુક 20 દિવસ સુધી અનશન પર રહ્યા છે, તેથી સરકારે તેમના ધીરજની પરીક્ષા લેવી જોઈએ નહીં. અન્ના હજારેનું કહેવું છે કે, 'સરકારે આ મામલે મૌન તોડવું જોઈએ. માંગણીઓ પર હા કહેવામાં આવે કે ના, પરંતુ વાતચીત થવી ખૂબ જરૂરી છે, કારણ કે કોઈ પણ મુદ્દાનો ઉકેલ માત્ર સંવાદથી જ નીકળે છે. 20 દિવસ સુધી અનશન કરનાર વ્યક્તિની ધીરજની પરીક્ષા લેવી બિલકુલ યોગ્ય નથી. સરકારે પોતાનો પક્ષ પણ રાખવો જોઈએ, અને સામે પક્ષની વાત પણ સાંભળવી જોઈએ, તો જ ઉકેલનો રસ્તો સાફ થઈ શકે છે.

સફદરજંગ હોસ્પિટલમાં ભરતી છે વાંગચુક

વાસ્તવમાં સોનમ વાંગચુક પોતાની માંગણીઓને લઈને જંતર-મંતર પર અનશન કરી રહ્યા હતા. શનિવારે તેમના અનશનનો 21મો દિવસ હતો. લાંબા સમય સુધી અન્નનો ત્યાગ કરવાના કારણે તેમની તબિયત બગડવા લાગી હતી, જેના પગલે દિલ્હી પોલીસ તેમને સફદરજંગ હોસ્પિટલ લઈ ગઈ હતી. હોસ્પિટલના જણાવ્યા અનુસાર, ઘન ખોરાક ન લેવાના કારણે તેમના શરીરમાં નબળાઈ આવી ગઈ છે, અને પાણીની અછત (ડીહાઈડ્રેશન)ના લક્ષણો પણ જોવા મળ્યા છે. જો કે, હોસ્પિટલમાં દાખલ કરતી વખતે તેઓ સંપૂર્ણ હોશમાં હતા, અને તેમનું બ્લડ પ્રેશર, પલ્સ રેટ અને ઓક્સિજન લેવલ સામાન્ય હતું. હાલ મેડિકલ ટીમ તેમની તબિયત પર સતત નજર રાખી રહી છે.

જાણો કેમ થઈ રહ્યું હતું આ આંદોલન?

સોનમ વાંગચુક અને આ આંદોલન સાથે જોડાયેલા સંગઠનોની મુખ્ય માંગણી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની છે. તેમનો આક્ષેપ છે કે, NEET સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ અને પેપર લીકની ઘટનાઓએ દેશના લાખો વિદ્યાર્થીઓનો ભરોસો તોડ્યો છે, તેથી આની રાજકીય જવાબદારી નક્કી થવી જોઈએ. પ્રદર્શનકારીઓએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ની કાર્યપ્રણાલીની નિષ્પક્ષ તપાસ, પેપર લીક મામલાની પારદર્શી તપાસ અને પરીક્ષા પદ્ધતિમાં વ્યાપક સુધારા કરવાની પણ માંગ કરી છે.