સ્વતંત્ર ભારદ્વાજને જેલમાં ધકેલનાર નિશુ આઝાદના ઘરે પથ્થરમારો, કહ્યું- ભયના ઓથારે જીવી રહ્યા છીએ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nishu Azad House Stone Pelting News : પિતા સાથે મારપીટ કરવાના કેસમાં સ્વતંત્ર ભારદ્વાજ સામે એસસી-એસટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવીને જેલ મોકલનાર યુટ્યુબર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર નિશુ આઝાદે પોતાના ઘર પર પથરાવ થવાની ગંભીર ફરિયાદ કરી છે. નિશુએ બાલ્કનીમાં ફેલાયેલા પથ્થરો અને તૂટેલા કાચ બતાવીને પોતાની અને પરિવારની સુરક્ષાને લઈને ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. નિશુનું કહેવું છે કે તેના ઘરની બહાર એવી હલચલ અને અવાજો આવી રહ્યા છે કે જેનાથી તે ખૂબ જ ડરી ગઈ છે. આ અગાઉ પણ તેણે સ્વતંત્રના સમર્થકો પર અપશબ્દો અને બળાત્કારની ધમકીઓ આપવાનો આરોપ લગાવીને સુરક્ષાની માંગ કરી હતી.
જંતર-મંતરના વિવાદથી શરૂ થયેલી અદાવત
નિશુ અને સ્વતંત્ર બંને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને જંતર-મંતર પર CJPના આંદોલન દરમિયાન તેમની વચ્ચે વિવાદ થયો હતો. પહેલા સોશિયલ મીડિયા પર બંને વચ્ચે ઘર્ષણ થયું અને બાદમાં પ્રદર્શન સ્થળે નિશુના પિતા સંજય અને સ્વતંત્ર વચ્ચે ઝઘડો થયો હતો. નિશુનો આરોપ છે કે સ્વતંત્રએ તેના પિતા પર હુમલો કરીને માથું ફાડી નાખ્યું હતું. જેમાં સાત ટાંકા આવ્યા હતા. આ માથામાં એક મહિનાથી વધુ સમય વીતી ગયા બાદ ત્યારે વધુ ગરમાયો હતો. જ્યારે સ્વતંત્રએ એક યુટ્યુબ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું કે તેણે નિશુના પિતાનું માથું ફાડ્યું હતું, પરંતુ રાજકીય કનેક્શનના કારણે તે જેલ ગયો નહોતો. જોકે, બાદમાં તેણે સ્પષ્ટતા કરી હતી કે તેણે કટાક્ષમાં પોતાના વિરોધીઓની વાત દોહરાવી હતી.
પરિવારમાં ડરનો માહોલ અને સુરક્ષાની અપીલ
કોંગ્રેસ પાર્ટી અને આઝાદ સમાજ પાર્ટીના નેતાઓના હસ્તક્ષેપ બાદ પોલીસે સ્વતંત્ર સામે એસસી-એસટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ સ્વતંત્રના સમર્થનમાં પણ કેટલાક લોકો સામે આવ્યા છે અને એસસી-એસટી એક્ટના દુરુપયોગનો આરોપ લગાવી રહ્યા છે. આ બધાની વચ્ચે નિશુએ શનિવારે રાત્રે કેટલાક વીડિયો પોસ્ટ કરીને પોતાની સુરક્ષા સામે ખતરો હોવાનું જણાવ્યું હતું. નિશુએ કહ્યું કે જો તેના પરિવારને કંઈ થશે તો તેના માટે સ્વતંત્ર અને તેના સાથીઓ જવાબદાર રહેશે. તેમજ ઘરની બહાર આવીને ધમકીઓ આપવામાં આવી રહી હોવાનો પણ દાવો કરાયો છે.




