India

સિક્કિમમાં મહાવિનાશનું જોખમ: 40 ગ્લેશિયલ સરોવરો હાઈ-રિસ્ક પર, 16 અત્યંત ખતરનાક

By GS Team
4 Sep 20262 mins read
TukuTouch Logo
સિક્કિમ સરકારે ગ્લેશિયર તળાવોથી સંભવિત ખતરાને લઈ 40 જોખમી તળાવો ઓળખ્યા છે. 4 સપ્ટેમ્બર, 2026 ના રોજ યોજાયેલા કાર્યક્રમમાં આ માહિતી અપાઈ. 16 તળાવો અત્યંત જોખમી શ્રેણીમાં છે, જેમાં 'શાકો ચો' સૌથી સંવેદનશીલ છે. ઓક્ટોબર 2023 માં GLOF (ગ્લેશિયર લેક આઉટબર્સ્ટ ફ્લડ) થી 60 થી વધુ લોકોનાં મોત થયા હતા. હવે પાણીનું સ્તર ઘટાડવા અને અર્લી વોર્નિંગ સિસ્ટમ ગોઠવવા પ્રયાસો તેજ કરાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સિક્કિમમાં મહાવિનાશનું જોખમ: 40 ગ્લેશિયલ સરોવરો હાઈ-રિસ્ક પર, 16 અત્યંત ખતરનાક

Sikkim Glacial Lakes GLOF Risk : સિક્કિમમાં ગ્લેશિયર તળાવોથી સર્જાનારા સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે 40 એવા ખતરનાક તળાવોની ઓળખ કરી છે, જે નીચાણવાળા વિસ્તારો માટે મોટો ખતરો બની શકે છે. આમાંથી 16 તળાવોને સૌથી વધુ જોખમી શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે, જ્યારે 'શાકો ચો' તળાવને સૌથી વધુ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યું છે. જો આ તળાવોમાંથી પાણી અચાનક બહાર ફાટી નીકળે તો નીચેના વિસ્તારોમાં વિનાશક પૂર આવી શકે છે. આ મહત્ત્વની માહિતી 4 સપ્ટેમ્બર 2026 ના રોજ GLOF (ગ્લેશિયર લેક આઉટબર્સ્ટ ફ્લડ) ના જોખમને લઈને યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં સામે આવી છે.

સેટેલાઇટ દ્વારા નજર અને કેટેગરી પ્રમાણે વર્ગીકરણ

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઓળખવામાં આવેલી 40 તળાવોમાંથી 16 તળાવોને કેટેગરી A માં રાખવામાં આવ્યા છે, જે સૌથી ગંભીર જોખમ ધરાવે છે. 2 તળાવો કેટેગરી B અને 9 તળાવો કેટેગરી C માં છે, જ્યારે બાકીની 13 તળાવો પર પણ સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. વિજ્ઞાનીઓ સેટેલાઇટ તસવીરો અને રિમોટ સેન્સિંગની મદદથી આ તળાવોમાં થઈ રહેલા ફેરફારો પર સતત નજર રાખી રહ્યા છે. લ્હોનક કોમ્પ્લેક્સ, શાકો ચો અને ગુરુડોંગમાર કોમ્પ્લેક્સના જોખમને પહોંચી વળવા માટે અલગ-અલગ રણનીતિઓ તૈયાર કરવામાં આવી રહી છે.

GLOF એટલે શું અને 2023 ની ભયાનક દુર્ઘટના

ગ્લેશિયર પીગળવાથી જમા થતા પાણીથી ગ્લેશિયર તળાવ બને છે. જો કોઈ પ્રાકૃતિક કારણસર આ તળાવ તૂટે અથવા પાણી અચાનક બહાર છલકાઈ જાય તો તેને GLOF કહેવામાં આવે છે. સિક્કિમમાં ઓક્ટોબર 2023 માં GLOF ની એક મોટી દુર્ઘટના બની ચૂકી છે, જેમાં 60 થી વધુ લોકોનાં મોત થયા હતા અને મંગન, ગંગટોક, પાક્યોંગ તથા નામચી જિલ્લાઓમાં ભારે તારાજી સર્જાઈ હતી. આ ભયાનક ઘટના બાદ રાજ્યમાં GLOF ના જોખમ સામે રક્ષણ મેળવવા માટેની તૈયારીઓ વધુ તેજ કરી દેવામાં આવી છે.

પાણીનું સ્તર ઘટાડવાની અને અર્લી વોર્નિંગ સિસ્ટમની તૈયારી

સરકાર દ્વારા જોખમી તળાવોનું પાણી ઓછું કરવા માટે પાઇપ કે પંપનો ઉપયોગ કરવા તેમજ પાણીના નવા રસ્તા બનાવવાની દિશામાં કામ ચાલી રહ્યું છે. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન મંત્રાલયને આ અંગે વિગતવાર અહેવાલ મોકલી દેવાયો છે. લ્હોનક કોમ્પ્લેક્સમાં પૂરના પાણીને રોકવા માટે વિશેષ માળખું બનાવવાની યોજના પર કામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત, સિક્કિમમાં નવા અર્લી વોર્નિંગ સેન્સર લગાવવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે જેથી જોખમ વધતાની સાથે જ સમયસર પૂર્વ ચેતવણી આપી શકાય અને મોટી જાનહાનિ અટકાવી શકાય.