India

પરિવારમાં તિરાડ? સુનેત્રા પવારના ડેપ્યુટી CM બનવાની અટકળો અંગે શરદ પવારે કહ્યું- 'અમને નથી પૂછ્યું'

By GS TEAM
31 Jan 20262 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્રના રાજકારણમાં અને પવાર પરિવારમાં ચાલી રહેલી હલચલ વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના વડા શરદ પવારે પ્રથમ વખત સુનેત્રા પવારને ડેપ્યુટી સીએમ બનાવવાના નિર્ણય પર મૌન તોડ્યું છે. પવારે સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય લેતી વખતે પરિવારને વિશ્વાસમાં લેવામાં આવ્યો નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

પરિવારમાં તિરાડ? સુનેત્રા પવારના ડેપ્યુટી CM બનવાની અટકળો અંગે શરદ પવારે કહ્યું- 'અમને નથી પૂછ્યું'

Sharad pawar on Sunetra Pawar News : મહારાષ્ટ્રના રાજકારણમાં અને પવાર પરિવારમાં ચાલી રહેલી હલચલ વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના વડા શરદ પવારે પ્રથમ વખત સુનેત્રા પવારને ડેપ્યુટી સીએમ બનાવવાના નિર્ણય પર મૌન તોડ્યું છે. પવારે સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય લેતી વખતે પરિવારને વિશ્વાસમાં લેવામાં આવ્યો નથી.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) માં ડેપ્યુટી સીએમ પદને લઈને થયેલી તાજેતરની નિમણૂક બાદ શરદ પવારે મોટું નિવેદન આપ્યું છે. સુનેત્રા પવારને નાયબ મુખ્યમંત્રી બનાવવાની પ્રક્રિયા અંગે પૂછવામાં આવતા શરદ પવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "આ નિર્ણય NCP (અજિત પવાર જૂથ) નો હતો. પવાર પરિવારને આ પ્રક્રિયામાં સામેલ કરવામાં આવ્યો નથી કે અમને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી." જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમને આ પ્રક્રિયાથી જાણીજોઈને બહાર રખાયા, તો તેમણે ટૂંકો જવાબ આપ્યો કે, "મને ખબર નથી."

બંને જૂથો વચ્ચેની વાતચીત અને જયંત પાટીલની ભૂમિકા

NCPના બંને જૂથો (શરદ પવાર અને અજિત પવાર) વચ્ચે ફરી એક થવા માટે ચાલી રહેલી ચર્ચાઓ અંગે પવારે જણાવ્યું કે, બંને પક્ષો વચ્ચે સંવાદ વધારવાનો પ્રયાસ થયો હતો અને વાતચીત હકારાત્મક દિશામાં આગળ વધી રહી હતી. તેમણે જણાવ્યું કે આ ચર્ચાઓમાં અજિત પવાર અને જયંત પાટીલ સક્રિય હતા. જોકે, હવે અંતિમ નિર્ણય શું આવશે તે જયંત પાટીલ પર નિર્ભર છે.

‘ભાજપ સાથે જવાનો સવાલ જ નથી, અમારી વિચારધારા અલગ છે’

શરદ પવારે ભાજપમાં જોડાવાની કે તેમની સાથે ગઠબંધન કરવાની તમામ અટકળોને ફગાવી દીધી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, "હું ભાજપ સાથે કેમ જઈશ? અમારી વિચારધારા બિલકુલ અલગ છે." તેમના આ નિવેદનથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે જો બંને જૂથો એક થાય તો પણ તે ભાજપની શરતો પર નહીં હોય.

પ્લેન ક્રેશ અને અન્ય મુદ્દાઓ પર પ્રતિક્રિયા

તાજેતરના વિમાન અકસ્માત અને તેની તપાસ અંગે પૂછતા પવારે કહ્યું કે, "અકસ્માત એ અકસ્માત જ હોય છે." તેમણે માહિતી આપી કે સિવિલ એવિએશન વિભાગ અને CID આ મામલે તપાસ કરી રહ્યા છે. આ નિવેદનો બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે અને હવે સૌની નજર જયંત પાટીલના આગામી નિર્ણય પર ટકેલી છે.