India

'હિમાચલમાં ભાજપની સરકાર આવતા જ RSS ની શાળાઓ ખુલશે...' કંગના રણૌતનો વાયદો ચર્ચામાં

By GS Team
6 Sep 20261 min read
TukuTouch Logo
સાંસદ કંગના રણૌતે હિમાચલ પ્રદેશને મોટો વાયદો કર્યો છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં ભાજપ સરકાર સત્તામાં આવતા જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા સંચાલિત શાળાઓ ખુલશે. આ પહેલ પશ્ચિમ બંગાળમાં 1,000 વિદ્યા ભારતી સંસ્થાનો સ્થાપિત કરવાના શુભેન્દુ અધિકારીના પ્રસ્તાવ બાદ આવી છે. કંગનાએ RSSની પ્રશંસા કરતા કહ્યું કે, તે દેશના સ્વાભિમાનનું પ્રતીક છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'હિમાચલમાં ભાજપની સરકાર આવતા જ RSS ની શાળાઓ ખુલશે...' કંગના રણૌતનો વાયદો ચર્ચામાં

Kangana Ranaut: સાંસદ અને અભિનેત્રી કંગના રણૌતે હિમાચલને મોટો વાયદો કર્યો છે. કંગના રણૌતે કહ્યું કે, 'હિમાચલ પ્રદેશમાં ભાજપની સરકાર આવતા જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા સંચાલિત શાળાઓ ખુલશે.' કંગનાનું આ નિવેદન પશ્ચિમ બંગાળના વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીના એ પ્રસ્તાવ બાદ આવ્યું છે, જેમાં તેમણે બંગાળમાં ઓછામાં ઓછા 1,000 વિદ્યા ભારતી સંસ્થાનો સ્થાપિત કરવાની વાત કહી હતી.

જોકે, આ પ્રસ્તાવનો વિપક્ષી દળોએ ભારે વિરોધ કર્યો છે. મંડી જિલ્લામાં 'દિશા'ની બેઠકની અધ્યક્ષતા કર્યા બાદ કંગના રણૌતે આ પહેલનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે, જ્યારે રાજ્યમાં આપણી સરકાર સત્તામાં આવશે, તો હું ઈચ્છીશ કે હિમાચલ પ્રદેશમાં પણ આવી યોજનાઓ શરૂ કરવામાં આવે. આ એક ઉત્તમ પહેલ છે અને તેને હિમાચલમાં પણ લાગુ કરવી જોઈએ.

કંગનાએ RSSની પ્રશંસા કરી

કંગના રણૌતે RSSની પ્રશંસા કરતા કહ્યું કે, આ સંગઠન દેશના સ્વાભિમાનનું પ્રતીક છે. સંઘે અનેક શિક્ષણ સંસ્થાનો સ્થાપિત કર્યા છે અને સંકટના સમયે હંમેશા દેશની સેવા કરી છે. TMC દ્વારા પશ્ચિમ બંગાળમાં "શિક્ષણના ભગવાકરણ"ના લગાવવામાં આવેલા આરોપો પર કંગનાએ TMC પર રાષ્ટ્રવિરોધી ભાવનાઓને પ્રોત્સાહન આપવાનો અને રાજકીય લાભ માટે દેશમાં વિભાજન ઊભું કરવાનો આરોપ લગાવ્યો છે.