Get The App

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં CBIના અધિકારી સામે જ તપાસના આદેશ, કોર્ટે કહ્યું- કોઈ પુરાવા વિના આરોપી બનાવાયા

Updated: Feb 27th, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં CBIના અધિકારી સામે જ તપાસના આદેશ, કોર્ટે કહ્યું- કોઈ પુરાવા વિના આરોપી બનાવાયા 1 - image


Delhi Excise Policy Case: દિલ્હી દારૂ કૌભાંડની તપાસ કરનાર CBI અધિકારીઓ જ તપાસના ઘેરામાં આવી ગયા છે. રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી દારૂ કૌભાંડની તપાસ કરનારા અધિકારીઓ પર ખાતાકીય તપાસ બેસાડવાની ભલામણ કરી છે. કોર્ટના કડક વલણ બાદ CBI અધિકારીઓ પર મુસીબત વધી શકે છે. 

કોર્ટ CBIની તપાસથી નારાજ

બાર એન્ડ બેન્ચના પ્રમાણે, રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ (PC એક્ટ) જિતેન્દ્રસિંહે સમગ્ર કેસમાં જાહેર સેવક પૂર્વ એક્સાઈઝ ડેપ્યુટી કમિશનર કુલદીપ સિંહને આરોપી નંબર 1 બતાવતા CBIના નિર્ણયની ઝાટકણી કાઢી છે. કોર્ટે CBIના એ અધિકારીઓ સામે ખાતાકીય તપાસ ભલામણ કરી જેમને આ પ્રકારની તપાસને દિશા આપી. કોર્ટે ટાંક્યું કે કોઈ પણ પુરાવા વગર CBIના અધિકારીઓએ તેમને આરોપી નંબર 1 બનાવી દીધા છે. 

કહાનીમાં ફિટ કરવા આરોપ મુકાયા?

એક વિસ્તૃત ઓર્ડરમાં જજે કહ્યું કે તપાસ અધિકારીની તપાસ પહેલાથી વિચારેલી હતી, અને જાહેર સેવક સામેના આરોપો આડેધડ તપાસનો વિષય નહોતા, પરંતુ પહેલાથી બનાવેલી કહાનીમાં ફિટ કરવા માટે બનાવવામાં આવ્યા હતા. 

CBIના નિર્ણય પર કોર્ટે ચિંતા વ્યક્ત કરી

કોર્ટે તપાસ અધિકારી એ નિર્ણય પર ઉંડી ચિંતા વ્યક્ત કરી કે જેમાં ચાર્જશીટમાં લોકોને શંકાસ્પદ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા હતા, જ્યારે તેમનો ઉલ્લેખ ફરિયાદ પક્ષના સાક્ષી તરીકે પણ કરવામાં આવ્યો હતો. કોર્ટે તત્કાલીન આબકારી કમિશનર અર્વા ગોપી કૃષ્ણા અને તે સમયના ડેપ્યુટી કમિશનર આનંદ કુમાર તિવારીનો ઉલ્લેખ કર્યો, જેમને શંકાસ્પદ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા હતા. અને કૃષ્ણાને ફરિયાદી પક્ષના સાક્ષી 74 તરીકે બતાવવામાં આવ્યા હતા. 

આ પણ વાંચો: હજુ પાપ ધોવાયા નથી, બે પડકાર બાકી... કેજરીવાલ નિર્દોષ જાહેર થયા બાદ દિલ્હી BJPની પોસ્ટર વોર

કોર્ટે કહ્યું કે, 'આ વિરોધાભાસી વલણને માત્ર પ્રક્રિયામાં ગરબડ માનીને નજર અંદાજ કરી શકાય નહીં. આ એક ઈરાદાપૂર્વકનું પગલું દેખાઈ આવે છે. જેમાં તપાસ અધિકારીએ જાણી જોઈને કહાનીને ઢીલી રાખવાની કોશિશ કરી છે. ભૂલ કરનારા CBI અધિકારીઓ સામે ખાતાકીય તપાસનો આદેશ આપવામાં આવી રહ્યો છે, કારણ કે જવાબદારી નક્કી કરી શકાય તેમજ તપાસની વિગતો પર ભરોસો બન્યો રહે.'