India

લાલ કિલ્લા બ્લાસ્ટ કેસ: રાઉઝ એવન્યૂ કોર્ટે NIA પાસે રિપોર્ટ માંગ્યો, હવે 27 ઑગસ્ટે થશે સુનાવણી

By GS Team
12 Aug 20262 mins read
TukuTouch Logo
દિલ્હીના લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં રાઉઝ એવન્યૂ કોર્ટમાં પ્રથમ સુનાવણી થઈ. NIAની ચાર્જશીટ અને તપાસની સ્થિતિ પર કોર્ટે નિર્દેશ આપ્યા. 4 આરોપીઓ સામે NIAની તપાસ બાકી છે. કોર્ટે તમામ પુરાવાનો સ્પષ્ટ રિપોર્ટ માંગ્યો. એક આરોપીના મૃત્યુનો રિપોર્ટ અને જેલ સંબંધિત અરજીઓ પર પણ સુનાવણી થઈ. હવે 27 ઓગસ્ટે ચાર્જશીટ પર સંજ્ઞાન લેવા અંગે નિર્ણય થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

લાલ કિલ્લા બ્લાસ્ટ કેસ: રાઉઝ એવન્યૂ કોર્ટે NIA પાસે રિપોર્ટ માંગ્યો, હવે 27 ઑગસ્ટે થશે સુનાવણી

Red Fort Blast Case Hearing: દિલ્હીના ચર્ચિત લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં બુધવારે રાઉઝ એવન્યૂ કોર્ટમાં પહેલી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન અદાલતે NIAની ચાર્જશીટ અને ચાલી રહેલી તપાસ તેમજ આરોપીઓની સ્થિતિ અંગે અનેક મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે. કેસ બીજી કોર્ટમાંથી ટ્રાન્સફર થઈને અહીં પહોંચ્યા બાદ, હવે આ મામલે 27 ઑગસ્ટે ચાર્જશીટ પર સંજ્ઞાન લેવા અંગે સુનાવણી હાથ ધરવામાં આવશે.

ચાર્જશીટ અને તપાસની સ્થિતિ

કોર્ટે રૅકોર્ડ જોયા બાદ જણાવ્યું કે, NIAએ 14 મે 2026ના રોજ ચાર્જશીટ દાખલ કરી હતી. ત્યારબાદ સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ પણ રજૂ કરવામાં આવી હતી. જોકે, અદાલતે હજુ સુધી આરોપોનું સંજ્ઞાન લીધું નથી.

4 આરોપીઓ સામે તપાસ બાકી: સુનાવણી દરમિયાન સામે આવ્યું કે ઉકાશા, ફેઝલ, આસિમ અને ઉસ્માન સામે NIAની આગળની તપાસ હજુ પેન્ડિંગ છે. કોર્ટે NIAને રિપોર્ટ સોંપવા જણાવ્યું છે કે, જ્યાં સુધી આ 4 આરોપીઓ સામે તપાસ પૂર્ણ ન થાય, ત્યાં સુધી શું વર્તમાન મામલામાં આગળની કાર્યવાહી કરી શકાય કે નહીં.

તમામ પુરાવાનો સ્પષ્ટ રિપોર્ટ: અદાલતે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરને એક સ્પષ્ટ ટેબલ રિપોર્ટ તૈયાર કરવા કહ્યું છે, જેમાં દરેક આરોપીની ભૂમિકા અને તેની સામે મેળવેલા પુરાવાની વિગત હશે.

એક આરોપીનું મોત અને જેલ અરજીઓ

મૃત્યુ અંગે રિપોર્ટ: કેસના એક આરોપીનું મોત થઈ ચૂક્યું છે. અદાલતે NIAને તેના મૃત્યુનો અધિકૃત રિપોર્ટ રજૂ કરવા કહ્યું છે, જેથી તેની સામેની કાનૂની કાર્યવાહી સત્તાવાર રીતે સમાપ્ત કરી શકાય.

જેલ સંબંધિત અરજીઓ: એક આરોપીએ પિતા સાથે ફોન પર વાત કરવાની પરવાનગી માંગી છે, જેના પર જેલ સુપ્રિન્ટેન્ડેન્ટને 19 ઑગસ્ટે કોર્ટમાં હાજર રહી વિગતો આપવા જણાવાયું છે. અન્ય આરોપીઓએ સેલની બહાર રહેવા માટે વધુ સમય માંગ્યો છે. મુખ્ય કેસમાં વિલંબ ન થાય તે માટે અદાલતે તમામ પેન્ડિંગ અરજીઓને અલગથી સાંભળવાનો નિર્ણય લીધો છે.

હવે સૌની નજર 27 ઑગસ્ટ પર ટકેલી છે, જ્યારે કોર્ટ NIAની ચાર્જશીટ પર સંજ્ઞાન લેવા અંગે નિર્ણય કરશે.