Get The App

પંજાબના રાજકારણમાં ભૂકંપ! સુસાઈડ કેસમાં આરોપો બાદ AAPના મંત્રીનું રાજીનામું લેવાયું

Updated: Mar 21st, 2026

GS TEAM

Google News
Google News
Laljit Singh Bhullar resigns


(IMAGE - IANS)

Laljit Singh Bhullar resigns: પંજાબની રાજનીતિમાં એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે, જેમાં મુખ્યમંત્રી ભગવંત માને પોતાના પરિવહન મંત્રી લાલજીત સિંહ ભુલ્લરનું રાજીનામું માંગી લીધું છે. વેરહાઉસના એક જિલ્લા મેનેજરની આત્મહત્યાના મામલે વિવાદ વકરતા મુખ્યમંત્રીએ આ કડક વલણ અપનાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, મૃત્યુ પૂર્વે આ અધિકારીએ એક વીડિયો રેકોર્ડ કર્યો હતો, જેમાં તેણે કથિત રીતે મંત્રી લાલજીત સિંહ ભુલ્લર પર ગંભીર આક્ષેપો કર્યા હતા.

ઘટનાની ગંભીરતાને પગલે ભુલ્લરને મંત્રી પદ છોડવા આદેશ

અહેવાલો અનુસાર, આ સમગ્ર ઘટનાની ગંભીરતા જોઈને જ મુખ્યમંત્રી ભગવંત માને ભુલ્લરને મંત્રી પદ પરથી રાજીનામું આપવા માટે જણાવી દીધું હતું. સરકારી પ્રવક્તાના જણાવ્યા મુજબ, મુખ્યમંત્રીએ અધિકારીના આત્મહત્યાના કારણોની વિધિવત તપાસ કરવાના નિર્દેશ આપ્યા છે, જેમાં આ મામલે ધારાસભ્યની કોઈ પણ સંડોવણી છે કે કેમ તેની પણ ઝીણવટભરી તપાસ થશે. પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું હતું કે, મુખ્યમંત્રીના મતે કોઈ પણ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે અનિયમિતતા જરા પણ ચલાવી લેવામાં આવશે નહીં.

આ પણ વાંચો: લોહી વહેતું હોય ને લોકો વીડિયો ઉતારે છે', સોશિયલ મીડિયા 'ટ્રાયલ' પર સુપ્રીમ કોર્ટની ચિંતા

શું છે આખો મામલો?

હાલમાં જ પંજાબમાં વેરહાઉસના એક જિલ્લા મેનેજરે આત્મહત્યા કરી લીધી હતી. મોત પહેલા અધિકારીએ એક વીડિયો રેકોર્ડ કર્યો હતો, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થયો હતો. આ વીડિયોમાં અધિકારીએ પોતાની માનસિક પરેશાની અને મોત માટે કેટલાક લોકોને જવાબદાર ઠેરવ્યા હતા, જેમાં સીધી રીતે મંત્રી લાલજીત સિંહ ભુલ્લરનું નામ સામેલ હતું. આ વીડિયો સામે આવતા જ રાજ્યમાં રાજકીય ઘમાસાણ મચી ગયું અને વિરોધ પક્ષોએ સરકારને ઘેરતા મંત્રીના તાત્કાલિક રાજીનામાની માંગ શરૂ કરી દીધી હતી.

પંજાબના રાજકારણમાં ભૂકંપ! સુસાઈડ કેસમાં આરોપો બાદ AAPના મંત્રીનું રાજીનામું લેવાયું 2 - image