India

કયા કોંગ્રેસ નેતાને મળશે કેરલમનો તાજ? થરૂર અને કે.સી. વેણુગોપાલના નામ રેસમાં આગળ

By GS TEAM
4 May 20262 mins read
TukuTouch Logo
કેરલમમાં વિધાનસભા ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે, જનતાએ ફરી એકવાર યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) પર વિશ્વાસ મૂક્યો છે. જોકે, ગઠબંધને હજુ સુધી મુખ્યમંત્રીના ચહેરાની સત્તાવાર જાહેરાત કરી નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

કયા કોંગ્રેસ નેતાને મળશે કેરલમનો તાજ? થરૂર અને કે.સી. વેણુગોપાલના નામ રેસમાં આગળ
AI IMAGE

UDF Chief Minister candidate Keralam: કેરલમમાં વિધાનસભા ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે, જનતાએ ફરી એકવાર યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) પર વિશ્વાસ મૂક્યો છે. જોકે, ગઠબંધને હજુ સુધી મુખ્યમંત્રીના ચહેરાની સત્તાવાર જાહેરાત કરી નથી. કોંગ્રેસ સાંસદ કે. સુરેશે જણાવ્યું છે કે, ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક અને ગઠબંધન પક્ષો સાથેની ચર્ચા બાદ અંતિમ નિર્ણય કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવશે.



મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદારો

1. વી.ડી. સતીશન: જેઓ હાલમાં કેરલમ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા. તેમણે પરાવુર બેઠક પરથી LDFના ઉમેદવારને હરાવીને જીત મેળવી છે. તેમણે ટીમ UDFની જીત માટે રાહુલ અને પ્રિયંકા ગાંધીનો આભાર માન્યો અને કહ્યું કે, વિરોધ પક્ષના નેતા તરીકે તેમણે UDFને સત્તામાં પરત લાવવાનું જે વચન આપ્યું હતું તે પૂર્ણ કર્યું છે.

2. કે.સી. વેણુગોપાલ: કોંગ્રેસના સંગઠન મહાસચિવ અને આલપ્પુઝાના સાંસદ છે. તેમનું નામ મુખ્યમંત્રીની રેસમાં જોરશોરથી ચાલી રહ્યું છે. સિનિયર નેતા તારિક અનવરે સંકેત આપ્યો છે કે જો વેણુગોપાલ મુખ્યમંત્રી બનવા ઈચ્છતા હોય તો તેમણે પક્ષની નિયત પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. 

આ પણ વાંચો: 12 વર્ષમાં 8થી વધીને 22 રાજ્યોમાં ભાજપ-NDAની સરકાર, બંગાળનો અભેદ્ય કિલ્લો પણ જીત્યો

3. રમેશ ચેન્નીથલા: પૂર્વ વિરોધ પક્ષના નેતા છે. હરિપાદ બેઠક પરથી 23,377 મતોની જંગી સરસાઈથી જીત મેળવી છે. તેમને કુલ 47.08% મતો મળ્યા છે, જે તેમની મજબૂત પકડ દર્શાવે છે. 

4. શશી થરૂર: હાલમાં તિરુવનંતપુરમના સાંસદ છે. જોકે તેમની લોકપ્રિયતા કેરલમમાં ખુબ જ છે, પરંતુ પક્ષમાં કેટલાક નેતાઓ તેમના ભાજપ પ્રત્યેના નરમ વલણને કારણે સહમત નથી. કોંગ્રેસના અનેક નેતાઓ તેમની સાથે અસહજ અનુભવે છે. મુખ્યમંત્રીના ચહેરા અંગે પૂછતા તેમણે કહ્યું કે, "આ નિર્ણય દિલ્હી (હાઈકમાન્ડ) લેશે, પરંતુ જનતાના વિશ્વાસને માન આપીને પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવી જોઈએ".

નિર્ણયની પ્રક્રિયા

કોંગ્રેસ હાઈકમાન્ડ ધારાસભ્યોના અભિપ્રાય અને સાથી પક્ષો સાથેની ચર્ચા બાદ જ અંતિમ મહોર મારશે. કેરલમના રાજકારણમાં આ વખતે નેતૃત્વ પરિવર્તન સાથે નવા યુગની શરૂઆત થવા જઈ રહી છે.