India

જમા મસ્જિદના શાહી ઇમામ અહમદ બુખારીએ કોર્ટમાં કર્યું સરેન્ડર, 19 વર્ષ જૂના કેસમાં જામીન મળ્યા

By GS Team
24 Jul 20261 min read
TukuTouch Logo
દિલ્હીની જામા મસ્જિદના શાહી ઇમામ અહમદ બુખારીએ મુઝફ્ફરનગર કોર્ટમાં 19 વર્ષ જૂના આચારસંહિતા ભંગ કેસમાં સરેન્ડર કર્યું. 2007ની ચૂંટણીમાં ખતૌલીમાં પરવાનગી વગર જાહેરસભા સંબોધવાનો આરોપ હતો. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કવિતા અગ્રવાલની કોર્ટે ₹20-20 હજારના બે મુચલકા પર તેમને જામીન મંજૂર કર્યા છે. આ મામલે હવે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

જમા મસ્જિદના શાહી ઇમામ અહમદ બુખારીએ કોર્ટમાં કર્યું સરેન્ડર, 19 વર્ષ જૂના કેસમાં જામીન મળ્યા

Ahmed Bukhari : દિલ્હીની જમા મસ્જિદના શાહી ઇમામ મૌલાના અહમદ બુખારીએ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરની કોર્ટમાં 19 વર્ષ જૂના ચૂંટણી આચારસંહિતા ભંગના કેસમાં સરેન્ડર કર્યું હતું. કોર્ટે તેમને ₹20-20 હજારના બે મુચલકા પર જામીન મંજૂર કર્યા છે. આ કેસ વર્ષ 2007માં થયેલી ચૂંટણી દરમ્યાન ખતૌલીમાં આચારસંહિતાના કથિત ઉલ્લંઘન સાથે સંબંધિત છે. ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ કવિતા અગ્રવાલની કોર્ટમાં હાજર થયા બાદ બુખારીને જામીન આપવામાં આવ્યા હતા.

અભિયોજન પક્ષના જણાવ્યા અનુસાર, બુખારી વિરુદ્ધ 10 એપ્રિલ, 2007ના રોજ ખતૌલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો હતો. તેમના પર ચૂંટણીપ્રચાર દરમ્યાન જરૂરી મંજૂરી લીધા વગર જાહેરસભાને સંબોધવાનો આરોપ છે. તપાસ મુજબ, અહમદ બુખારી હેલિકૉપ્ટર મારફતે ખતૌલી પહોંચ્યા હતા અને સત્તાવાર પરવાનગી વિના જાહેરસભાને સંબોધી હતી. આ કાર્યવાહી ચૂંટણીની આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘન સમાન હોવાનું પોલીસે નોંધ્યું હતું.

કેસમાં તે સમયની IPCની કલમ 171 અને 188 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. કલમ 188 હેઠળ સરકારી અધિકારીના કાયદેસર આદેશની અવગણના કરવાનો આરોપ પણ સામેલ છે. અભિયોજન અધિકારી કે.સી. મૌર્યના જણાવ્યા અનુસાર, કોર્ટ તરફથી અનેક વખત સમન્સ અને જામીનપાત્ર વૉરન્ટ જારી કરવામાં આવ્યા હોવા છતાં અહમદ બુખારી લાંબા સમય સુધી કોર્ટમાં હાજર રહ્યા નહોતા. ત્યારબાદ તેઓએ કોર્ટમાં સરેન્ડર કરતાં જામીન માટે અરજી કરી હતી, જેને કોર્ટે સ્વીકારી લીધી. હવે આ મામલે કોર્ટમાં આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરાશે.