Get The App

ખોટા સમયે ખોટી જગ્યાએ ફસાયા... હિંદ મહાસાગરમાં ઈરાનના જહાજ પર હુમલા મામલે જયશંકરનું મોટું નિવેદન

Updated: Mar 7th, 2026

GS TEAM

Google News
Google News
ખોટા સમયે ખોટી જગ્યાએ ફસાયા... હિંદ મહાસાગરમાં ઈરાનના જહાજ પર હુમલા મામલે જયશંકરનું મોટું નિવેદન 1 - image


Iran warship sinking: અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર કરેલા હુમલા બાદ મિડલ ઈસ્ટમાં યુદ્ધ ચાલી રહ્યું છે. એવામાં અમેરિકાની સબમરીને હિંદ મહાસાગરમાં ઈરાનના યુદ્ધ જહાજને હુમલો કરી ડૂબાડી દીધું હતું. જેમાં ઈરાનના 80થી વધુ સૈનિકોના મોત થયા. ઈરાનનું આ યુદ્ધ જહાજ ભારતનું મહેમાન બન્યું હતું અને સ્વદેશ પરત જઈ રહ્યું હતું. તે સમયે જ અમેરિકાએ તેના પર હુમલો કર્યો. એવામાં હવે સમગ્ર મામલે ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે મોટું નિવેદન આપ્યું છે. 

સમગ્ર મામલે જયશંકરનું સત્તાવાર નિવેદન

જયશંકરે કહ્યું છે કે, ઈરાન તરફથી ભારતને એક સંદેશો મળ્યો હતો. ઈરાનનું એક જહાજ ભારતીય સરહદની નજીક હતું. જેમાં ટેકનિકલ ખામી સર્જાઈ. જે બાદ ભારતે તે જહાજને કોચીમાં આશરો અપાયો. તે જહાજમાં ઈરાનના યુવા કેડેટ્સ સવાર હતા. અન્ય એક જહાજ શ્રીલંકામાં હતું, પણ તે બચાવી શકાયું નહીં. અમે માનવીય દૃષ્ટિએ યોગ્ય નિર્ણય લીધો. 

ભારતે IRIS લાવનને આશરો આપ્યો 

ઈરાને 28 ફેબ્રુઆરીએ ભારતનો સંપર્ક કરી જણાવ્યું હતું કે, તેમના જહાજમાં ગંભીર ટેકનિકલ ખામી સર્જાઈ છે. ભારતે 1 માર્ચે માનવીય ધોરણે તેને કોચી આવવાની મંજૂરી આપી. 4 માર્ચે જ્યારે આ જહાજ કોચીના કિનારે લાંગરવામાં આવ્યું. ત્યારે તેના પર સવાર 183 જવાનોએ રાહતનો શ્વાસ લીધો હતો. 

IRIS ડેના પર અમેરિકાનો હુમલો, જહાજ ડૂબ્યું, 80થી વધુ સૈનિકોના મોત 

IRIS ડેનાએ જળસમાધિ લીધી. કમનસીબે, જે દિવસે 'લાવન' ભારત પહોંચ્યું, તે જ દિવસે શ્રીલંકાના તટથી માત્ર 19 નોટિકલ માઇલ દૂર અમેરિકી સબમરીને ઈરાનના અન્ય એક જહાજ 'IRIS ડેના' પર ટોરપિડો છોડ્યો હતો. આ હુમલામાં 80થી વધુ નૌસૈનિકોના મોત થયા અને જહાજ સમુદ્રના તળિયે બેસી ગયું.

શ્રીલંકાએ પણ અન્ય એક જહાજને આશરો આપ્યો

ઈરાનનું ત્રીજું જહાજ 'IRIS બુશેહર' એન્જિનની સમસ્યાને કારણે શ્રીલંકાના ત્રિંકોમાલી બંદરે આશરો લઈ રહ્યું છે. શ્રીલંકન પ્રમુખ અનુરા કુમારા દિસ્સાનાયકેએ તેને 'માનવીય જવાબદારી' ગણાવી છે.