India

મોંઘવારીનો ડામ: એપ્રિલમાં જથ્થાબંધ મોંઘવારી દર ઉછળીને 8.3%એ પહોંચ્યો, જાણો મુખ્ય કારણો

By GS Team
14 May 20262 mins read
TukuTouch Logo
ભારતમાં મોંઘવારીનો મોરચો ફરી ગરમાયો છે. એપ્રિલ 2026માં જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) પર આધારિત મોંઘવારીનો દર વાર્ષિક ધોરણે વધીને 8.3 ટકા પર પહોંચી ગયો છે. માર્ચ 2026માં આ દર માત્ર 3.88 ટકા હતો, જે દર્શાવે છે કે માત્ર એક મહિનામાં મોંઘવારીમાં બમણાથી વધુનો ઉછાળો આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મોંઘવારીનો ડામ: એપ્રિલમાં જથ્થાબંધ મોંઘવારી દર ઉછળીને 8.3%એ પહોંચ્યો, જાણો મુખ્ય કારણો

India Wholesale Inflation April 2026: ભારતમાં મોંઘવારીનો મોરચો ફરી ગરમાયો છે. એપ્રિલ 2026માં જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) પર આધારિત મોંઘવારીનો દર વાર્ષિક ધોરણે વધીને 8.3 ટકા પર પહોંચી ગયો છે. માર્ચ 2026માં આ દર માત્ર 3.88 ટકા હતો, જે દર્શાવે છે કે માત્ર એક મહિનામાં મોંઘવારીમાં બમણાથી વધુનો ઉછાળો આવ્યો છે.

પશ્ચિમ એશિયાના સંઘર્ષની સીધી અસર

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા ગુરુવારે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, મોંઘવારીમાં આ વધારા માટે મુખ્યત્વે ઇંધણ અને ક્રૂડ ઓઇલના ભાવ જવાબદાર છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસના ભાવમાં 29.37 ટકાનો તોતિંગ વધારો નોંધાયો છે.

આ પણ વાંચો :કાળજું કંપી જાય તેવો અકસ્માત : અમદાવાદથી રાજકોટ તરફ જતી બસની ટેન્કર સાથે ટક્કર, 4ના મોત

રિપોર્ટના મુખ્ય મુદ્દાઓ

માર્ચની સરખામણીએ એપ્રિલમાં ઇંધણ અને પાવર જૂથમાં મોંઘવારી દર 18.22 ટકા વધ્યો છે. જોકે, વીજળીના ભાવમાં 2.53 ટકાનો ઘટાડો થતાં સામાન્ય રાહત મળી છે. એપ્રિલમાં ફૂડ ઇન્ડેક્સ(અનાજ, કઠોળ અને ઉત્પાદિત ખાદ્ય ચીજો)માં માર્ચની સરખામણીએ 2.31 ટકાનો વધારો થયો છે. જ્યારે માર્ચ મહિનામાં ખાદ્ય મોંઘવારી દર 1.85 ટકા પર સ્થિર રહ્યો હતો. જથ્થાબંધ ભાવ સૂચકાંકમાં 64.23 ટકા હિસ્સો ધરાવતા મેન્યુફેક્ચરિંગ ઉત્પાદનોની મોંઘવારીમાં એપ્રિલમાં 1.4 ટકાનો વધારો થયો છે. આ જૂથની 22માંથી 21 પ્રોડક્ટ્સના ભાવમાં વધારો જોવા મળ્યો છે.

છૂટક મોંઘવારીના આંકડા (CPI)

બીજી તરફ, ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) પર આધારિત ભારતનો છૂટક મોંઘવારી દર એપ્રિલમાં 3.48 ટકા નોંધાયો છે. વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવ વધવા છતાં વીજળી, ગેસ અને અન્ય ઇંધણ માટેનો ફુગાવો 1.71 ટકાના નીચા સ્તરે જળવાઈ રહ્યો છે. નિષ્ણાતોના મતે, જો પશ્ચિમ એશિયામાં તણાવ લાંબો સમય ચાલશે, તો આવનારા દિવસોમાં પરિવહન ખર્ચ વધવાને કારણે સામાન્ય જનતાના ખિસ્સા પર વધુ બોજ પડી શકે છે.