Get The App

'ચુકાદો તો દૂર... અમે આ કોર્ટને જ નથી માનતા', સિંધુ જળ સંધિ મુદ્દે પાકિસ્તાનને ભારતનો જવાબ

Updated: Feb 3rd, 2026

GS TEAM

Google News
Google News
'ચુકાદો તો દૂર... અમે આ કોર્ટને જ નથી માનતા', સિંધુ જળ સંધિ મુદ્દે પાકિસ્તાનને ભારતનો જવાબ 1 - image


India Pakistan water dispute : જમ્મુ કાશ્મીરમાં કિશનગંગા અને રતલે હાઈડ્રો પાવર પ્રોજેક્ટ મુદ્દે આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી ન્યાયાલયના ચુકાદાને ભારતે ફગાવ્યો છે. વિદેશ મંત્રાલયે આ મામલે કહ્યું છે કે સિંધુ જળ સંધિ સ્થગિત થઈ ગઈ છે. એવામાં ભારત આ સંધિ હેઠળ કોઈ પણ જવાબદારી નિભાવવા માટે બંધાયેલું છે. 

આદેશ તો શું અમે આ કોર્ટને જ માન્યતા નથી આપતા: ભારતનો જડબાતોડ જવાબ

વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું કે, આ કોર્ટ જ ગેરકાયદે છે. કાયદાની નજરે આ કોર્ટનું કોઈ અસ્તિત્વ નથી. એક સંપ્રભુ રાષ્ટ્ર ભારતની કોઈ પણ કાર્યવાહીની તપાસ કરવાનો આ કોર્ટને કોઈ અધિકાર જ નથી. ભારતે ક્યારેય આ તથાકથિત ઈન્ટરનેશલ કોર્ટ ઓફ આર્બિટ્રેશનને માન્યતા આપી નથી. 

પાકિસ્તાનના ઈશારે કરાયેલું નાટક...: ભારત 

આ મંચ દ્વારા કરાયેલી કોઈ પણ કાર્યવાહી, નિર્ણય કે આદેશ ગેરકાયદે અને અમે અમે તેને કોઈ માન્યતા આપતા નથી. વૈશ્વિક આતંકવાદના રૂપમાં ભૂમિકાથી બચવા માટે પાકિસ્તાનના ઈશારે આ નાટક ચાલી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય મંચો પર હેરફેર કરવાની પાકિસ્તાનની દાયકાઓ જૂની ટેવ રહી છે. 

નોંધનીય છે કે નેધરલેન્ડ સ્થિત આ કોર્ટે ભારતને કહ્યું હતું કે 9 ફેબ્રુઆરી સુધીમાં કિશનગંગા અને રતલે હાઈડ્રો પાવર પ્રોજેક્ટની ઓપરેશનલ લૉગબુક જમા કરાવો. 

નોંધનીય છે કે પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ પર રોક લગાવી હતી. ભારત હવે નદીના પ્રવાહ, પૂરની ચેતવણી, ગ્લેશિયર ઓગળવાની ચેતવણી સહિતની જાણકારી પાકિસ્તાનને આપતું નથી.