'મેં પોલીસ પર ભરોસો કર્યો અને મારી પર જ...', કરૂર નાસભાગ મામલે તમિલનાડુના CM વિજયનો મોટો વિસ્ફોટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

CM Thalapathy Vijay On Karur Stampede : વર્ષ 2025માં અભિનેતા થલપતિ વિજયની તમિલગા વેત્રી કઝગમ(TVK) નામની નવી પાર્ટીની સ્થાપના કરતી વખતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હજારો લોકોની ભીડ ઉમટી હતી, જેમાં નાસભાગ થતાં 41 લોકોના મોત થયા હતા, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી બન્યા બાદ સીએમ વિજયે નાસભાગની ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે.
કરૂર ઘટનાને ક્યારે ભૂલી ન શકાય : CM વિજય
મુખ્યમંત્રી વિજયે કહ્યું કે, ‘કરૂરમાં નાસભાગની ઘટનાથી આખા રાજ્યને દુઃખ થયું હતું. આ દુર્ઘટનામાં અનેક પરિવારોએ પોતાના બાળકો ગુમાવ્યા હતા. આ દુઃખને ક્યારે ભૂલી શકાય નહીં.’ વિજયે પોલીસ પર આક્ષેપ કરતાં કહ્યું કે, મેં તેમના પર ભરોસો કર્યો, પરંતુ તેમણે મારા પર આક્ષેપો લગાવી દીધા.’
‘સરકાર પીડિત પરિવારો સાથે’
કરૂરમાં 10 જુલાઈ શુક્રવારે યોજાયેલા એક કાર્યક્રમ વિજયે કહ્યું કે, ‘અમે કરૂર નાસભાગની ઘટનામાં અમારી બહેનોના બાળકો ગુમાવ્યા છે. આ માત્ર એક દુર્ઘટના નહીં, પરંતુ આખા સમાજને એવું નુકસાન થયું છે, જે ક્યારેય ભરપાઈ ન થઈ શકે. સરકાર પીડિત પરિવારો સાથે મજબૂતી સાથે ઊભી છે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે જરૂરી પગલા ઉઠાવવામાં આવશે.’
જો પોલીસે સમયસર જાણ કરી હોત તો...
વિજયે ઘટના અંગે પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, ‘રેલીમાં ભીડ સતત વધી રહી હોવાની પેરંબલૂર પોલીસે અમને પહેલેથી માહિતી આપી હતી, પરંતુ કરૂર પોલીસે અમને આવી કોઈ જાણ ન કરી. પોલીસ પોતે અમને કાર્યક્રમ સ્થળે લઈ ગઈ હતી અને મેં તેમના પર વિશ્વાસ કર્યો હતો. જો સમય પહેલા જાણ કરી હોત તો આવી ઘટના ન બની હોત.’









