India

EPFOના કરોડો ખાતા ધારકો માટે સારા સમાચાર, આવતીકાલથી PF ખાતામાં જમા થશે વ્યાજ

By GS Team
2 Jul 20262 mins read
TukuTouch Logo
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા કરોડો ખાતાધારકોને ખુશખબર મળ્યા છે. આવતીકાલ 3 જુલાઇથી પીએફ ખાતાઓમાં વ્યાજ જમા કરવાની પ્રક્રિયા શરૂ થશે. આગામી 15 દિવસમાં દેશભરના આશરે 7 કરોડ સક્રિય ખાતાઓમાં 8.25 ટકાના દરે વ્યાજ ટ્રાન્સફર થશે. વ્યાજ જમા થયા બાદ ખાતાધારકો પોતાની EPF પાસબુકમાં અપડેટેડ બેલેન્સ જોઈ શકશે. આનાથી લાંબા સમયથી રાહ જોઈ રહેલા કર્મચારીઓને રાહત મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

EPFOના કરોડો ખાતા ધારકો માટે સારા સમાચાર, આવતીકાલથી PF ખાતામાં જમા થશે વ્યાજ
ફાઈલ તસવીર/IANS

EPFO Interest Credit News: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના કરોડો ખાતાધારકો માટે ગુડ ન્યૂઝ સામે આવ્યા છે.. EPFO આવતીકાલ 3 જુલાઇથી કર્મચારીઓના ભવિષ્ય નિધિ (PF) ખાતાઓમાં વ્યાજ જમા કરવાની પ્રક્રિયા શરૂ કરવા જઈ રહ્યું છે. માહિતી અનુસાર, આગામી 15 દિવસની અંદર દેશભરના આશરે 7 કરોડ સક્રિય ખાતાઓમાં વ્યાજની રકમ ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

લાંબી રાહ જોતા કર્મચારીઓને મોટી રાહત

જેનાથી તે કર્મચારીઓને મોટી રાહત મળશે, જેઓ લાંબા સમયથી પોતાના પીએફ ખાતામાં વ્યાજ આવવાની રાહ જોઈ રહ્યા હતા. વ્યાજ જમા થયા પછી ખાતાધારકો પોતાની EPF પાસબુકમાં અપડેટેડ બેલેન્સ જોઈ શકશે.

નાણાકીય વર્ષ માટે વ્યાજ દર નક્કી

EPFOએ નાણાકીય વર્ષ 2025-26 માટે કર્મચારી ભવિષ્ય નિધિ જમા પર 8.25 ટકાનો વ્યાજ દર નક્કી કર્યો છે. આ જ દરના હિસાબથી તમામ પાત્ર ખાતાઓમાં વ્યાજની ગણતરી કરીને રકમ જમા કરવામાં આવશે. આ વ્યાજ સીધું ખાતાધારકોના પીએફ ખાતામાં ક્રેડિટ થશે અને જેના માટે કોઈ પણ પ્રકારની અરજી કરવાની જરૂર રહેશે નહીં.

PF બેલેન્સ ચેક કરવાની વિવિધ રીતો

વ્યાજ જમા થયા પછી કર્મચારીઓ ઘણી રીતોથી પોતાનું PF બેલેન્સ જોઈ શકે છે. EPFOની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ પાસબુક સેવા, UMANG એપ અને મિસ્ડ કોલ અથવા SMS સેવા દ્વારા પણ ખાતાનું અપડેટેડ બેલેન્સ ચેક કરી શકાય છે. જો કે, વ્યાજ તમામ ખાતાઓમાં એક સાથે નહીં પહોંચે, તેથી કેટલાક ખાતાઓમાં અપડેટ દેખાવામાં થોડા દિવસો લાગી શકે છે.

નિવૃત્તિ માટે નાણાકીય સુરક્ષા

EPF કર્મચારીઓની લાંબા ગાળાની બચતનું સૌથી મોટું સાધન માનવામાં આવે છે. દર મહિને કર્મચારી અને નિયુક્તકર્તા બંને તરફથી પીએફ ખાતામાં અંશદાન જમા થાય છે, જેના પર EPFO દર વર્ષે વ્યાજ આપે છે. વ્યાજ ઉમેરાવાથી કર્મચારીઓની નિવૃત્તિ બચતમાં સારો વધારો થાય છે અને ભવિષ્ય માટે મજબૂત નાણાકીય સુરક્ષા મળે છે.

ખાતામાં વ્યાજ અપડેટ થવામાં સમય લાગશે

જો આગામી 15 દિવસમાં તમારા ખાતામાં વ્યાજ ન દેખાય, તો ગભરાવાની જરૂર નથી. EPFO તબક્કાવાર રીતે તમામ સક્રિય ખાતાઓમાં વ્યાજ જમા કરશે, તેથી અપડેટ થવામાં થોડો સમય લાગી શકે છે.