મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં દાન ચોરી ! ઉદ્ધવે અયોધ્યાનો મુદ્દો ઉઠાવતા શિંદેએ ખોલી જૂની ફાઈલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Eknath Shinde Assembly Speech : મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસુ સત્રમાં એ સમયે રાજકીય ભૂકંપ આવી ગયો, જ્યારે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સદનમાંથી હિન્દુત્વ અને આસ્થાના નામે અત્યાર સુધીનો સૌથી આક્રમક પલટવાર કરી દીધો. ઉદ્ધવ જૂથ અયોધ્યાના રામ મંદિર નિર્માણમાં કથિત ભ્રષ્ટાચાર અને લૂંટના આક્ષેપો કરીને સતત સરકારને ઘેરવામાં લાગેલું છે. આ દરમિયાન શિંદેએ નામ લીધા વિના તેમના જ 'અસલી હિન્દુત્વ'ના દાવાઓને ખોટા સાબિત કરી દીધા. સદનમાં કડક અવાજ અને હાથમાં પુરાવાઓની ફાઇલ લહેરાવતા સીએમ શિંદેએ ઇતિહાસનું એ પાનું ખોલી દીધું, જેણે વિપક્ષમાં સન્નાટો ફેલાવી દીધો. શિંદેએ સીધો આરોપ લગાવ્યો કે, જે લોકો આજે રામ મંદિર પર આંગળી ઉઠાવી રહ્યા છે, તેમના સાથીઓએ મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરની દાનપેટીને પણ નહોતી છોડી, અને તે મહાપાપ પર ત્યારની સરકાર મૂકપ્રેક્ષક બનીને બેઠી હતી. આ રાજકીય ઘમાસાણે મહારાષ્ટ્રના રાજકારણમાં 'અસલી વિરુદ્ધ નકલી હિન્દુત્વ'ની જંગને એક નવો અને અત્યંત આક્રમક વળાંક આપી દીધો છે.
રામ મંદિર પર વિપક્ષના વાર પર શિંદેનો પલટવાર
મહારાષ્ટ્ર વિધાનસભામાં ગઈકાલે ઉદ્ધવ જૂથના નેતાઓએ અયોધ્યા રામ મંદિરમાં પાણી ટપકવા અને કથિત ગેરવ્યવસ્થાઓને લઈને મહાયુતિ સરકાર અને ભાજપ પર તીખા બાણ ચલાવ્યા હતા. એકનાથ શિંદેએ સ્પષ્ટ કર્યું કે, અયોધ્યામાં જે કંઈ પણ થયું, તેનું કોઈ પણ સમર્થન ન કરી શકે, અને રામ ભક્તોની વેદનાથી સરકાર સારી રીતે વાકેફ છે. પરંતુ તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે, મોદીજી અને યોગીજીના રાજમાં કોઈ પણ ગુનેગાર બચશે નહીં, તેમને જેલમાં ચક્કી પીસવા અને પથ્થર તોડવા માટે મોકલવામાં આવશે. ત્યારબાદ શિંદેએ પોતાના તેવર વધુ કડક કરતા વિપક્ષ તરફ જોયું અને ઇતિહાસનું એ પાનું પલટી દીધું, જેના માટે વિપક્ષી દળ બિલકુલ તૈયાર નહોતો.
'સિદ્ધિવિનાયકને ધોકો અને ત્યાં ખોખા…'
ડેપ્યુટી સીએમએ સદનની અંદર કેટલાક જૂના સમાચારોની કટિંગ્સને હવામાં લહેરાવતા સીધો સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટના ગેરવહીવટનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે ઉદ્ધવ ઠાકરે કે, તેમના જૂથનું નામ લીધા વિના કહ્યું કે, જ્યારે તેમના સાથીઓએ બપ્પાની દાનપેટી લૂંટવાનું પાપ કર્યું હતું, ત્યારે તત્કાલીન સરકારે તપાસના આદેશ કેમ ન આપ્યા? શિંદેએ મીડિયા રિપોર્ટ્સની હેડલાઇન વાંચતા કહ્યું કે, આમાં સ્પષ્ટ લખ્યું છે કે 'સિદ્ધિવિનાયકને ધોકો અને ત્યાં ખોખા'. તેમણે સ્પષ્ટ કર્યું કે, આ આરોપ તેમના પોતાના નથી, પરંતુ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) ના નેતા નિતિન કિલેદારે પ્રેસ કોન્ફરન્સ કરીને આ આખા કૌભાંડ અને વાસ્તવિક સ્થિતિને જનતા સામે રાખી હતી.
"શું આ છે તમારું હિન્દુત્વ?"
પોતાના ભાષણના અંતિમ ભાગમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સીધો ઉદ્ધવ જૂથની નબળી નસ પર હાથ મૂકી દીધો. તેમણે બાળાસાહેબ ઠાકરેના સિદ્ધાંતોની યાદ અપાવતા તીખા અને નાટકીય અંદાજમાં સવાલો વરસાવી દીધા.
સિદ્ધિવિનાયકની દાન પેટી પર ધાડ પાડવી, શું આ આપણું હિન્દુત્વ છે?
સાવરકરને માફીવીર કહેનારા કોંગ્રેસી નેતાઓના ખોળામાં જઈને બેસવું, શું આ આપણું હિન્દુત્વ છે?
વોટ બેંકની રાજનીતિ માટે બાળાસાહેબના પ્રખર વિચારોને તોડવા-મરોડવા, શું આ આપણું હિન્દુત્વ છે?
પાલઘરમાં નિર્દોષ સાધુઓની નિર્દયતાથી હત્યા થવા પર મોઢામાં મગ ભરીને બેસી રહેવું, શું આ આપણું હિન્દુત્વ છે?
ફક્ત વોટ માટે આતંકવાદીઓના સમર્થકોને પોતાની ચૂંટણી પ્રચાર સભાઓમાં ફેરવવા અને ચૂંટણીમાં પાકિસ્તાનના ઝંડા લહેરાવવા પર ચૂપ રહેવું, શું આ આપણું હિન્દુત્વ છે?
એકનાથ શિંદેના આ તીખા અને સીધા સવાલોએ ન માત્ર સદનનું તાપમાન વધારી દીધું, પરંતુ એ પણ સ્પષ્ટ કરી દીધું કે, આગામી ચૂંટણીઓમાં હિન્દુત્વ અને આસ્થા સાથે દગો જ મહાયુતિનું સૌથી મોટું ચૂંટણી હથિયાર બનવા જઈ રહ્યું છે.









