દેશમાં નોકરીઓ ઘટી કે વધી? સાંખ્યાકીય મંત્રાલયે જાહેર કર્યા બેરોજગારીના આંકડા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India Unemployment Rate : ભારતના જોબ માર્કેટમાં છેલ્લા એક વર્ષમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. એટલે કે દેશમાં નોકરીની તકોમાં ન તો ખાસ વધારો થયો છે કે ન તો કોઈ ઘટાડો થયો છે. સાંખ્યાકીય અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નવા આંકડા મુજબ, ચાલુ નાણાકીય વર્ષની એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળા દરમિયાન ભારતનો બેરોજગારી દર અને દેશમાં કામ કરતી વસ્તીનું પ્રમાણ લગભગ સ્થિર રહ્યું છે.
બેરોજગારી દરમાં મામૂલી ઘટાડો
તાજેતરમાં જાહેર થયેલા ડેટા અનુસાર, આ ત્રિમાસિક ગાળામાં દેશનો બેરોજગારી દર 5.5% નોંધાયો છે. જ્યારે એક વર્ષ પહેલા સમાન ગાળામાં આ દર 5.6% હતો. ઉલ્લેખનીય છે કે, બેરોજગારી દર એ કામ કરવાની ઉંમર ધરાવતી એવી વસ્તીની ગણતરી કરે છે જેઓ પાસે નોકરી નથી.
કામકાજી વસ્તીનું પ્રમાણ જળવાઈ રહ્યું
મંત્રાલયના નિવેદન અનુસાર, જૂન 2026માં દેશની કુલ કામકાજી વસ્તી (વર્કિંગ પોપ્યુલેશન)નો ગુણોત્તર 51.4% રહ્યો છે. ગયા વર્ષે જૂન 2025માં આ પ્રમાણ 51.2% હતું. આમ, ગયા વર્ષની સરખામણીએ કામ કરતી વસ્તીના પ્રમાણમાં 0.2%નો મામૂલી વધારો જોવા મળ્યો છે.
શહેરી જોબ માર્કેટની સ્થિતિ સ્થિર
સાંખ્યાકીય મંત્રાલય હેઠળના નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ દ્વારા હાથ ધરવામાં આવેલા પીરિઓડિક લેબર ફોર્સ સર્વે અનુસાર, દેશના શહેરી વિસ્તારોમાં પણ જોબ માર્કેટની સ્થિતિ સંપૂર્ણપણે સ્થિર રહી છે. શહેરોમાં નોકરીની નવી તકો ન તો ઘટી છે અને ન તો વધી છે. આ સર્વે મુખ્યત્વે દેશમાં બેરોજગારી અને કુલ લેબર ફોર્સમાં લોકોની ભાગીદારી માપવાનું કામ કરે છે.









