India

વરસાદ, પૂર, ભૂસ્ખલનથી તબાહી, બે રાજ્યોમાં 200થી વધુના મોત, કરોડોનું નુકસાન, અનેક રસ્તા બંધ

By GS Team
8 Aug 20262 mins read
TukuTouch Logo
હિમાચલમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી હાહાકાર મચી ગયો છે. 100થી વધુ લોકોના મોત થયા છે અને 834 કરોડનું નુકસાન થયું છે. ચંબામાં બસ ખીણમાં પડતા 2ના મોત થયા છે. 162 રસ્તાઓ બંધ થતા, 105 ટ્રાન્સફોર્મર બગડતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. IMDએ ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, ઉત્તરાખંડ અને પંજાબ સહિત અનેક રાજ્યો માટે ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. આસામમાં પણ પૂરથી 98 મોત થયા છે અને 1.55 લાખ લોકો પ્રભાવિત થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વરસાદ, પૂર, ભૂસ્ખલનથી તબાહી, બે રાજ્યોમાં 200થી વધુના મોત, કરોડોનું નુકસાન, અનેક રસ્તા બંધ

Himachal Pradesh Landslide : હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની ચૂકી છે. આ કુદરતી આપત્તિમાં અત્યાર સુધીમાં 100 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે અને રાજ્યને આશરે 834 કરોડ રૂપિયાનું મોટું આર્થિક નુકસાન થયું છે. શનિવારે સવારે ચંબામાં એક બસ ખીણમાં ખાબકવાની દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. સતત વરસાદના કારણે વાહનોના ફસાવવા અને અકસ્માતોની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.

પ્રભાવિત રસ્તાઓ અને ખોરવાયેલું જનજીવન

ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે. ગ્રામીણ વિસ્તારોમાં 162 જેટલા રસ્તાઓ બંધ થઈ જવાથી લોકોની અવરજવર મુશ્કેલ બની ગઈ છે. આ ઉપરાંત, અંદાજે 105 ટ્રાન્સફોર્મર બગડી જવાથી વીજળી અને પાણીની પૂરવઠા વ્યવસ્થા પણ ઠપ થઈ ગઈ છે. મંડી જિલ્લામાં પઠાણકોટ-મંડી રાષ્ટ્રીય રાજમાર્ગ પર ઉરલા પાસે ભૂસ્ખલનને કારણે સાડા ચાર કલાક સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. જેને મશીનરીની મદદથી સાફ કરવામાં આવ્યો હતો.

દેશના અન્ય રાજ્યોમાં IMDનું ભારે વરસાદનું એલર્ટ

હવામાનની વરસાદની સક્રિયતા વચ્ચે ભારત હવામાન વિભાગ વાળા (IMD) દ્વારા ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, ઉત્તરાખંડ અને પંજાબ સહિત અનેક રાજ્યો માટે ભારે વરસાદ અને તોફાની પવનોનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા દબાણને કારણે આગામી 3 દિવસ સુધી પૂર્વ ભારતમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર પ્રદેશ અને બિહારના અનેક જિલ્લાઓમાં 60 થી 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

અસમમાં પૂરની ગંભીર અને વિકટ સ્થિતિ

પહાડી રાજ્યોની સાથે-સાથે અસમમાં પણ પૂરની સ્થિતિ અત્યંત ગંભીર બનેલી છે. સત્તાવાર બુલેટિન મુજબ અસમમાં પૂરના કારણે મૃત્યુઆંક વધીને 98 સુધી પહોંચી ગયો છે. રાજ્યના 13 જિલ્લાઓ અને 464 જેટલા ગામડાઓ પૂરના પાણીથી પ્રભાવિત થયા છે. જેના કારણે લગભગ 1.55 લાખ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કામગીરી સતત ચલાવવામાં આવી રહી છે. જેથી પ્રભાવિત લોકોને સમયસર સહાય પૂરી પાડી શકાય.