India

સોનમ વાંગચુકની ભૂખ હડતાળ મામલે દિલ્હી હાઈકોર્ટે કહ્યું - મામલો અર્જન્ટ છે, સરકાર જવાબ આપે

By GS Team
15 Jul 20262 mins read
TukuTouch Logo
દિલ્હી હાઈકોર્ટે સોનમ વાંગચુકના અનશન ખતમ કરાવવા માટેની PIL પર કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે. 18 દિવસથી અનશન પર બેઠેલા વાંગચુકની તબિયત બગડતા કોર્ટે આ મામલાને 'અર્જન્ટ' ગણાવી, આવતીકાલ સુધીમાં જવાબ માંગ્યો છે. અરજદારે વાંગચુકને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડી સારવાર આપવાની માંગ કરી. જંતર-મંતર પર તેમનું વજન 8 કિલો ઘટ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સોનમ વાંગચુકની ભૂખ હડતાળ મામલે દિલ્હી હાઈકોર્ટે કહ્યું - મામલો અર્જન્ટ છે, સરકાર જવાબ આપે
ફાઈલ તસવીર

Sonam Wangchuk Hunger Strike: સોનમ વાંગચુકનું અનશન ખતમ કરાવવા માટે દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજી પર દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ જાહેર કરી છે. 18 દિવસથી અનશન કરી રહેલા વાંગચુકના કેસને 'અર્જન્ટ' ગણાવતા હાઈકોર્ટના ચીફ જસ્ટિસની બેન્ચે કેન્દ્ર અને દિલ્હી સરકારને આવતીકાલે (ગુરુવાર) સવાર સુધીમાં જવાબ દાખલ કરવા માટે કહ્યું છે.

વાંગચુકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવા અરજદારની માંગ

અરજીકર્તા વકીલે કહ્યું, 'ખૂબ જ કમનસીબ પરિસ્થિતિ છે. સામાજિક કાર્યકર્તા જે પોતાના મૌલિક અધિકારનો ઉપયોગ કરીને પ્રદર્શન કરી રહ્યા છે અને એક રીતે સમગ્ર દેશની સામે પોતાનો જીવ આપી રહ્યા છે.' સૈનીએ અદાલતને કેન્દ્ર અને રાજ્ય સરકારને એવો નિર્દેશ આપવા માટે કહ્યું કે વાંગચુકને તાત્કાલિક હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવે અને તેમને જરૂરી સારવાર પૂરી પાડવામાં આવે તથા અનશન ખતમ કરાવવામાં આવે.

હાઈકોર્ટે કેસની ગંભીરતા જોઈ કેસ તાકીદે સૂચિબદ્ધ કર્યો

જેના પર હાઈકોર્ટે કહ્યું, 'કેન્દ્ર સરકાર તરફથી કોઈ હાજર થયું નથી. અમે અરજીની નોંધ લઈ રહ્યા છીએ. અમે આ મામલાની આવતીકાલે જ સુનાવણી કરીશું અને કેન્દ્ર સરકાર પાસેથી જવાબ લેવાની જરૂર છે.'

બાર એસોસિએશનના બહિષ્કારને કારણે સરકારી વકીલો ગેરહાજર

કોર્ટે આદેશની એક નકલ સંબંધિત એડિશનલ સોલિસિટર જનરલ અને દિલ્હી સરકારના વકીલને આપવાનો નિર્દેશ આપ્યો. હાઈકોર્ટની બાર એસોસિએશન દ્વારા કરવામાં આવેલા બહિષ્કારના કારણે કેન્દ્ર અને દિલ્હી સરકાર તરફથી કોર્ટમાં કોઈ હાજર થયું ન હતું.

જંતર-મંતર પર વાંગચુકની તબિયત સતત બગડી રહી છે

નીટ પેપર લીકના કારણે કૉકરોચ જનતા પાર્ટી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ કરી રહી છે. દિલ્હીના જંતર-મંતર પર 20 જૂનથી જ આ પ્રદર્શન ચાલી રહ્યું છે, જ્યારે સોનમ વાંગચુકએ આ જ મંચ પર 28 જૂનથી અનશનની શરૂઆત કરી હતી. 18 દિવસ પછી તેમનું વજન આશરે 8 કિલો ઓછું થઈ ગયું છે. તેઓ સહારો આપ્યા પછી પણ ખૂબ જ મુશ્કેલીથી નિત્યક્રમ માટે જઈ શકી રહ્યા છે.

દેશના અનેક દિગ્ગજ નેતાઓની અનશન છોડવા અપીલ

પશ્ચિમ બંગાળના પૂર્વ સીએમ મમતા બેનર્જી, યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત કેટલાય મોટા નેતાઓ સોનમ વાંગચુકને અનશન ખતમ કરવાની અપીલ કરી ચૂક્યા છે. છેલ્લા 2-3 દિવસમાં નેતાઓની અવરજવર પણ જંતર-મંતર પર વધી છે.