India

FCRA બિલને કોંગ્રેસે ગણાવ્યું ઈસાઈ વિરોધી... કે.સી.વેણુગોપાલે કહ્યુ, સપનું પૂરું થવા નહીં દઈએ

By GS Team
9 Aug 20262 mins read
TukuTouch Logo
સંસદના ચોમાસુ સત્રમાં કેન્દ્ર સરકાર FCRA સુધારા બિલ લાવશે, જેનો કોંગ્રેસ સહિત વિપક્ષ સખત વિરોધ કરશે. કોંગ્રેસના મતે આ બિલ ‘ઈસાઈ વિરોધી’ છે, જે ગ્રામીણ-આદિવાસી વિસ્તારોની સંસ્થાઓ, શાળાઓ અને હોસ્પિટલોને અસર કરશે. નવા નિયમો હેઠળ DM/SDMને સંપત્તિ જપ્ત કરવાની સત્તા મળશે. કોંગ્રેસે બિલને પસાર થવા દેવાનો ઇનકાર કર્યો છે. SPએ પણ સાંસદોને ગૃહમાં હાજર રહેવા વ્હિપ આપ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

FCRA બિલને કોંગ્રેસે ગણાવ્યું ઈસાઈ વિરોધી... કે.સી.વેણુગોપાલે કહ્યુ, સપનું પૂરું થવા નહીં દઈએ

FCRA Amendment Bill Anti Christian: સંસદના ચોમાસુ સત્ર દરમિયાન વિદેશી ફંડિંગને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વિદેશી અંશદાન નિયમન અધિનિયમ (FCRA)માં સુધારા માટે નવું બિલ લાવવાની શક્યતા છે. કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષે આ બિલનો સખત વિરોધ કરવાની જાહેરાત કરી છે.

કોંગ્રેસ અને વિપક્ષનો વાંધો

અલ્પસંખ્યક સંસ્થાઓ પર અસર: કોંગ્રેસનું કહેવું છે કે, આ બિલ 'ઈસાઈ વિરોધી' છે. તેનાથી દેશના ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં ચાલી રહેલી સંસ્થાઓ, શાળાઓ અને હોસ્પિટલો પર માઠી અસર પડશે.

મિલકત જપ્તીની સત્તા: કોંગ્રેસ સાંસદ હીબી ઇડનના જણાવ્યા મુજબ, નવા નિયમો હેઠળ નિયમોના ભંગ બદલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (DM) અથવા SDMને સંસ્થાઓની સંપત્તિ પોતાના કબજામાં લેવાની અમર્યાદિત સત્તાઓ મળશે.

વેણુગોપાલનું આક્રમક નિવેદન: કોંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલે સ્પષ્ટ કર્યું છે કે, જો સરકાર ઉતાવળમાં આ બિલ પસાર કરવાનો પ્રયાસ કરશે તો તેને સફળ થવા દેવામાં આવશે નહીં.

સમાજવાદી પાર્ટી અને વિપક્ષની એકજુટતા

આ મુદ્દે માત્ર કોંગ્રેસ જ નહીં, પરંતુ સમાજવાદી પાર્ટી (SP) એ પણ પોતાના લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદોને 10, 11 અને 12 ઓગસ્ટે ગૃહમાં ફરજિયાત હાજર રહેવા માટે વ્હિપ/પત્ર જારી કર્યો છે.

શું છે FCRA બિલ?

FCRA કાયદો NGO, ચેરિટેબલ ટ્રસ્ટ અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા મળતા વિદેશી ફંડિંગનું નિયમન કરે છે. પ્રસ્તાવિત સુધારા મુજબ, જો કોઈ સંસ્થાનું લાઈસન્સ રદ થાય કે રિન્યૂ ન થાય, તો વિદેશી ફંડથી બનાવાયેલી તેની સંપત્તિઓ અને બચેલી રકમ પર નિયંત્રણ મેળવવા માટે સરકાર એક 'ડેઝિગ્નેટેડ ઓથોરિટી' નિમણૂક કરશે. સરકારનું કહેવું છે કે, આનાથી પારદર્શિતા આવશે, જ્યારે વિપક્ષ તેને સંસ્થાઓને દબાવવાનું કાવતરું ગણાવી રહ્યો છે.