Private Plane Crash: છત્તીસગઢના જશપુર જિલ્લાની આરા ટેકરીઓમાં એક પ્રાઇવેટ ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું છે. ગ્રામીણોનો દાવો છે કે વિમાન નારાયણપુર વિસ્તારના રતનપહલી જંગલમાં વૃક્ષો સાથે અથડાઈને નીચે ખાબક્યું હતું, ત્યારબાદ આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. પ્રાથમિક માહિતીમાં પાયલટ અને કો પાયલટનું મોત થયું હોવાના સમાચાર મળી રહ્યા છે, જ્યારે પ્લેનમાં અન્ય કોઈ હતું કે નહીં તે અંગે સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી.
વૃક્ષો સાથે અથડાવાને કારણે દુર્ઘટનાગ્રસ્ત!
છત્તીસગઢના જશપુર જિલ્લામાં સોમવારે એક વિમાન દુર્ઘટના સર્જાઈ, આરા ટેકરીઓમાં એક ખાનગી વિમાન ક્રેશ થયું છે. ગ્રામીણોના જણાવ્યા મુજબ આ ચાર્ટર્ડ પ્લેન જશપુરના નારાયણપુર વિસ્તારમાં આવેલા રતનપહલી જંગલમાં વૃક્ષો સાથે અથડાવાને કારણે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. અકસ્માત બાદ પહાડી વિસ્તારમાંથી આગની જ્વાળાઓ અને ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો.
કેટલા લોકો હતા સવાર?
આ ઘટનાની જાણ થતાંની સાથે જ પોલીસ અને પ્રશાસનની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને રાહત તેમજ બચાવ કાર્ય શરૂ કર્યું. હાલમાં વિમાનમાં કેટલા લોકો સવાર હતા તે જાણી શકાયું નથી.


