India

અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો વળાંક, SIT હવે સુપ્રીમ કોર્ટને સોંપશે તપાસ રિપોર્ટ!

By GS Team
17 Jul 20262 mins read
TukuTouch Logo
અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરી મામલે SIT પોતાનો વચગાળાનો રિપોર્ટ સોમવારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરશે. પ્રાથમિક તપાસમાં દાનની ગણતરી અને વ્યવસ્થાપનમાં ગંભીર અનિયમિતતાઓ તેમજ CCTV ફૂટેજનો અભાવ જણાયો છે. આ કેસમાં 8 આરોપીઓની ધરપકડ થઈ છે. ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ દોષિતો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે. 22 જુલાઈએ ટ્રસ્ટની બેઠકમાં રિપોર્ટ પર ચર્ચા થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો વળાંક, SIT હવે સુપ્રીમ કોર્ટને સોંપશે તપાસ રિપોર્ટ!

Ram Mandir Donation Theft SIT Investigation 2026 : અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં ભક્તો દ્વારા ચડાવવામાં આવતા દાન અને ચઢાવાની ચોરીના ચર્ચાસ્પદ મામલામાં એક મોટો વળાંક આવ્યો છે. આ હાઈપ્રોફાઈલ કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) પોતાનો વચગાળાનો અહેવાલ રાજ્ય સરકારને આપવાને બદલે આગામી સોમવારે સીધો સુપ્રીમ કોર્ટમાં સબમિટ કરશે. જોકે, ફાઇનલ રિપોર્ટ તૈયાર કરવા માટે એસઆઈટીએ સરકાર પાસે વધારાનો સમય માંગ્યો છે.

SOP નું ઉલ્લંઘન અને CCTV ફૂટેજનો અભાવ

ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ગઠિત 3 સભ્યોની SIT ની પ્રાથમિક તપાસમાં મંદિરના દાનની ગણતરી અને તેના વ્યવસ્થાપનમાં ગંભીર અનિયમિતતાઓ સામે આવી છે. તપાસ દરમિયાન સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) નું સરેઆમ ઉલ્લંઘન થયું હોવાનું અને જરૂરી સીસીટીવી (CCTV) ફૂટેજનો અભાવ હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. આ ગેરરીતિઓના આધારે અત્યાર સુધીમાં બેંક કર્મચારીઓ સહિત 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુ યાદવ અને અનુકલ્પ મિશ્રા મુખ્ય છે.

ટ્રસ્ટની 22 જુલાઈની બેઠક પર સૌની નજર

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વિનંતી પર ઉત્તર પ્રદેશ સરકારે 13 જૂનના રોજ આ SIT ની રચના કરી હતી. શરૂઆતમાં ટીમને 15 દિવસનો સમય અપાયો હતો, જેને 1 જુલાઈએ વધુ 15 દિવસ માટે લંબાવવામાં આવ્યો હતો. હવે સોમવાર સુધીમાં વચગાળાનો રિપોર્ટ આવી જશે, કારણ કે તપાસ સમિતિની મુદત ફરી વધવાની શક્યતા ઓછી છે.

આ અહેવાલ રામ મંદિર માટે અત્યંત મહત્વનો સાબિત થશે, કારણ કે 22 જુલાઈના રોજ અયોધ્યામાં ટ્રસ્ટની એક મોટી બેઠક મળવાની છે. આ બેઠકમાં રિપોર્ટની ભલામણો પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે, જે આગામી સમયમાં મંદિરના મેનેજમેન્ટ, દાનની ગણતરી અને સુરક્ષા વ્યવસ્થામાં મોટા સુધારાનો આધાર બનશે.

ડેપ્યુટી સીએમ મૌર્યનું મોટું નિવેદન

બીજી તરફ, ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ જણાવ્યું છે કે રાજ્ય સરકાર પણ SIT ની તપાસના પરિણામોની રાહ જોઈ રહી છે. તેમણે દેશના કરોડો રામભક્તોને ભરોસો આપતાં સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, આ સંવેદનશીલ મામલામાં જે કોઈ પણ વ્યક્તિ દોષિત સાબિત થશે, તેને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં અને તેમની સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.