India

માગ નહીં સ્વીકારાય તો ગંભીર પરિણામ માટે તૈયાર રહેજો! રાંચીમાં આંદોલનના 24માં દિવસે વિદ્યાર્થીઓની ચેતવણી

By GS Team
17 Aug 20261 min read
TukuTouch Logo
રાંચીના જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમમાં વિદ્યાર્થીઓ પોતાની પડતર માંગણીઓ માટે 24 દિવસથી આંદોલન ચલાવી રહ્યા છે. 20 ઓગસ્ટે મુખ્યમંત્રી આવાસનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે. ભૂખ હડતાળ પર બેઠેલા 4 વિદ્યાર્થીઓ પૈકી 2ની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આજે સરકાર સાથે ચોથા તબક્કાની મંત્રણા થશે, જેના પર સૌની નજર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

માગ નહીં સ્વીકારાય તો ગંભીર પરિણામ માટે તૈયાર રહેજો! રાંચીમાં આંદોલનના 24માં દિવસે વિદ્યાર્થીઓની ચેતવણી
IMAGE - IANS

Ranchi Student Protest: રાંચીના જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમમાં પોતાની પડતર માંગણીઓને લઈને વિદ્યાર્થીઓ દ્વારા ચલાવવામાં આવી રહેલું આંદોલન સોમવારે 24મા દિવસમાં પ્રવેશ્યું છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ પોતાની માંગણીઓ સત્વરે પૂરી ન થવા પર 20 ઓગસ્ટે મુખ્યમંત્રી આવાસનો ઘેરાવ કરવાની જાહેરાત કરી છે. અગાઉ વિધાનસભા ઘેરાવ દરમિયાન પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ભારે ટકરાવ થયો હતો અને લાઠીચાર્જની સ્થિતિ પણ સર્જાઈ હતી.

સરકાર સાથે ચોથા તબક્કાની વાટાઘાટો અત્યંત મહત્ત્વપૂર્ણ

મુખ્યમંત્રી આવાસના ઘેરાવના આહ્વાન વચ્ચે સોમવારે સરકારના પ્રતિનિધિઓ અને આંદોલનકારી વિદ્યાર્થીઓ વચ્ચે ચોથા રાઉન્ડની બેઠક યોજાવાની છે. અગાઉ ત્રણ તબક્કાની ચર્ચા યોજાઈ ચૂકી છે, પરંતુ તેમાં કોઈ ચોક્કસ ઉકેલ આવી શક્યો નથી. અગાઉના નિષ્ફળ વાટાઘાટો અને વધતા તણાવને જોતાં હવે આ ચોથા તબક્કાની ચર્ચાને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

ભૂખ હડતાળ પર બેઠેલા વિદ્યાર્થીઓની તબિયત લથડી

આંદોલનમાં છેલ્લા 12-13 દિવસથી ચાર વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર છે, જેમાંથી બે વિદ્યાર્થીઓની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને બે ધરણા સ્થળ પર જ ઉપવાસ કરી રહ્યા છે. 14 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા પ્રેમ નાયકે પોતાની બગડતી શારીરિક સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરીને સરકારને સત્વરે યોગ્ય નિર્ણય લેવા અપીલ કરી છે. બીજી તરફ, વિદ્યાર્થી નેતા રવીન્દ્ર પાસવાને સ્પષ્ટ કર્યું છે કે, 'જો આ ચર્ચામાં માંગણીઓ પૂરી નહીં થાય તો આંદોલન વધુ ઉગ્ર બનશે.'