India

TMCમાં વધુ એક બળવાખોરી ! 70 કોર્પોરેટર ઝટકો આપવાની તૈયારીમાં, ઋતબ્રત સાથે કરી બેઠક

By GS Team
22 Jun 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં હાર બાદ મમતા બેનર્જીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ધારાસભ્યો અને સાંસદોના વિદ્રોહ બાદ હવે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સ્થાનિક સંગઠનમાં પણ ગાબડું પડ્યું છે. સોમવારે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન (KMC) સહિત ત્રણ અલગ-અલગ જિલ્લાના 70 TMC કાઉન્સિલરોએ બળવાખોર જૂથના નેતા ઋતબ્રત બેનર્જી સાથે એક મહત્વની બેઠક કરી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, મમતા બેનર્જીના અત્યંત નજીકના સાથી અને કોલકાતાના પૂર્વ મેયર ફિરહાદ હકીમ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

TMCમાં વધુ એક બળવાખોરી ! 70 કોર્પોરેટર ઝટકો આપવાની તૈયારીમાં, ઋતબ્રત સાથે કરી બેઠક

TMC Internal Rebellion : પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં હાર બાદ મમતા બેનર્જીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ધારાસભ્યો અને સાંસદોના વિદ્રોહ બાદ હવે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સ્થાનિક સંગઠનમાં પણ ગાબડું પડ્યું છે. સોમવારે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન (KMC) સહિત ત્રણ અલગ-અલગ જિલ્લાના 70 TMC કાઉન્સિલરોએ બળવાખોર જૂથના નેતા ઋતબ્રત બેનર્જી સાથે એક મહત્વની બેઠક કરી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, મમતા બેનર્જીના અત્યંત નજીકના સાથી અને કોલકાતાના પૂર્વ મેયર ફિરહાદ હકીમ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા.

મમતા બેનર્જી માટે મોટો ઝટકો: ફિરહાદ હકીમ TMCનો મોટો મુસ્લિમ ચહેરો છે, અને વર્ષ 2018માં તેઓ કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના 150 વર્ષના ઇતિહાસમાં પ્રથમ મુસ્લિમ મેયર બન્યા હતા. થોડા અઠવાડિયા પહેલા જ તેમણે મેયર પદેથી રાજીનામું આપ્યું હતું. હવે તેઓ સતત ઋતબ્રત બેનર્જી અને મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી સાથે સ્ટેજ શેર કરતા જોવા મળી રહ્યા છે, જે મમતા બેનર્જી માટે બંગાળના રાજકારણમાં બહુ મોટો ફટકો સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો : તમિલનાડુમાં મુખ્યમંત્રી વિજયનો સપાટો! હિન્દુ સંગઠનોની વર્ષો જૂની માંગ એક જ ઝાટકે પૂરી

પાર્ટીમાં પહેલાથી જ મોટી તૂટ: TMCના કુલ 80 માંથી 64 ધારાસભ્યો અને 28 માંથી 20 સાંસદો પહેલાથી જ બળવો કરી ચૂક્યા છે. કાકોલી ઘોષ દસ્તીદારની આગેવાની હેઠળના સાંસદો 'નેશનલ સિટીઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા' માં જોડાઈને કેન્દ્રની NDA સરકારને સમર્થન આપી રહ્યા છે. બીજી તરફ, વિધાનસભાના સ્પીકરે ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપી દીધી છે, જેની સામે મમતા જૂથે કલકત્તા હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા, પરંતુ હાઈકોર્ટે પણ આ નિર્ણય પર સ્ટે આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.

આ સ્થિતિ જોતાં હવે સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે કે, પાયાના સ્તરના કાઉન્સિલરો પણ મમતા બેનર્જીનો સાથ છોડીને ઋતબ્રત બેનર્જીના બળવાખોર જૂથ તરફ પ્રયાણ કરી રહ્યા છે.