India

લાફો ઝીંકી દેવાની ઘટના બાદ દિલ્હી સીએમના કાર્યક્રમમાં વધુ એક વ્યક્તિ ઘૂસી, પોલીસે પકડ્યો

By GS TEAM
22 Aug 20251 min read
TukuTouch Logo
લોક દરબાર એટલે કે જન સુનાવણીના કાર્યક્રમ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલાની ઘટના બાદ હવે તેમની સુરક્ષાને લઈને વધુ એક ચૂક સામે આવી છે. શુક્રવારે ગાંધીનગરમાં એક કાર્યક્રમ દરમિયાન કાર્યક્રમમાં એક અજાણ્યો યુવક ઘૂસી આવ્યો હતો અને તેણે ભારે નારેબાજી કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

લાફો ઝીંકી દેવાની ઘટના બાદ દિલ્હી સીએમના કાર્યક્રમમાં વધુ એક વ્યક્તિ ઘૂસી, પોલીસે પકડ્યો

BJP CM Rekha Gupta | લોક દરબાર એટલે કે જન સુનાવણીના કાર્યક્રમ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલાની ઘટના બાદ હવે તેમની સુરક્ષાને લઈને વધુ એક ચૂક સામે આવી છે. શુક્રવારે ગાંધીનગરમાં એક કાર્યક્રમ દરમિયાન કાર્યક્રમમાં એક અજાણ્યો યુવક ઘૂસી આવ્યો હતો અને તેણે ભારે નારેબાજી કરી હતી. 



ક્યારે બની ઘટના? 

આ ઘટના તે સમયે બની જ્યારે ગાંધીનગર વિધાનસભાના ધારાસભ્ય અરવિંદર સિંહ લવલી કાર્યક્રમને સંબોધી રહ્યા હતા. સીએમ રેખા ગુપ્તા પણ આ કાર્યક્રમમાં હાજર હતા. આ દરમિયાન યુવક કાર્યક્રમમાં ઘૂસ્યો અને નારેબાજી કરવા લાગ્યો. જોકે પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. 

કોણ હતી એ વ્યક્તિ? 

પકડાયેલા યુવકની ઓળખ અજિત નગરના રહેવાસી પ્રવીણ શર્મા તરીકે થઈ છે. તે 60 વર્ષના છે. તે ટીવી કેબલનો બિઝનેસ કરે છે. તેમનો દાવો છે કે છેલ્લા 40 વર્ષમાં તે ભાજપના કાર્યકર રહ્યા છે. તેમણે કહ્યું કે હું ઘણા સમયથી ફરિયાદ કરી રહ્યો હતો પણ મારું કોઈ સાંભળતું નહોતું એટલે મેં સીએમ સુધી પહોંચવાનો નિર્ણય કર્યો.