India

ઘરનું ભાડું ભરવાના પૈસા નથી! આર્થિક સંકડામણના કારણે ભાજપના નેતાનું રાજીનામું, કોંગ્રેસમાં જવા મૂકી આ શરત

By GS Team
19 Aug 20262 mins read
TukuTouch Logo
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપ્યું છે. આર્થિક મુશ્કેલીઓ અને અંગત સંજોગોને તેમણે મુખ્ય કારણ ગણાવ્યા. દિલ્હીમાં તેમણે જણાવ્યું કે, રાજકીય પક્ષો પ્રવક્તાઓને પગાર આપતા નથી, જેથી ઘરનું ભાડું ચૂકવવા રોજીરોટી માટે નવો માર્ગ અપનાવવો પડ્યો. જોકે, તેમણે PM મોદીના વિઝન પ્રત્યે સમર્પણ વ્યક્ત કર્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

ઘરનું ભાડું ભરવાના પૈસા નથી! આર્થિક સંકડામણના કારણે ભાજપના નેતાનું રાજીનામું, કોંગ્રેસમાં જવા મૂકી આ શરત
IMAGE - IANS

Shehzad Poonawalla: ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય પ્રવક્તા અને ટીવી ડિબેટ્સમાં પાર્ટીનો જાણીતો ચહેરો ગણાતા શહઝાદ પૂનાવાલાએ પક્ષના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાના આ અચાનક લીધેલા નિર્ણય પાછળ આર્થિક મુશ્કેલીઓ અને અંગત સંજોગોને મુખ્ય કારણ ગણાવ્યા છે.

આર્થિક મુશ્કેલીઓ અને રોજીરોટીનો સંઘર્ષ

રાજીનામા બાદ એક ઇન્ટરવ્યૂમાં શહઝાદ પૂનાવાલાએ સ્પષ્ટતા કરી હતી કે ભાજપ સહિતની કોઈ પણ રાજકીય પાર્ટી પોતાના પ્રવક્તાઓ કે કાર્યકરોને પગાર આપતી નથી. તેમણે જણાવ્યું કે, 'મારે પણ ઘરનું ભાડું ચૂકવવું પડે છે અને મકાનમાલિક ભાજપમાં હોવાના નામે ભાડું માફ કરતો નથી. રાજકીય પક્ષો પોતાના કાર્યકરોનું ગુજરાન ચલાવતા નથી, તેથી મારે મારી રોજીરોટી માટે અલગ રસ્તો પસંદ કરવો જરૂરી બન્યો હતો.'

પીએમ મોદીના વિઝન પ્રત્યે સમર્પણ

પોતાનો પક્ષ છોડવા છતાં, પૂનાવાલાએ ભારપૂર્વક જણાવ્યું કે, 'હું પીએમ મોદીના વિઝન અને ભાજપની વિચારધારા પ્રત્યે સંપૂર્ણપણે સમર્પિત રહીશ. કોઈ રાજકીય આંદોલન સાથે જોડાવું એ કોઈ નોકરી નથી, પણ વિચારધારા અને નેતૃત્વ પ્રત્યેનો લગાવ છે. પક્ષમાં કોઈ હોદ્દા પર રહ્યા વગર પણ હું આ વિચારધારા સાથે જોડાયેલો રહીશ.'

રાજકીય વારસો ન હોવાનો ઉલ્લેખ

વર્ષ 2021માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા પૂનાવાલાએ જણાવ્યું કે, 'મોટાભાગના નેતાઓ 'લાભ લેનારા' અથવા 'કોઈ નેતાના પુત્ર'ની શ્રેણીમાં આવે છે, પરંતુ હું પહેલી પેઢીનો નેતા છું અને મારો કોઈ રાજકીય વારસો નથી. તેથી જીવનનિર્વાહ માટે આર્થિક સંસાધનો ઊભા કરવા મારા માટે અનિવાર્ય હતા.'

અફવાઓ અને કાવતરાંની થીયરીઓનો અસ્વીકાર

સોશિયલ મીડિયા પર ચાલી રહેલી વિવિધ અફવાઓ અને કથિત વાઇરલ વીડિયોની વાતોને તેમણે સંપૂર્ણપણે ફગાવી દીધી હતી. રાજીનામા પાછળ કોઈ ષડયંત્ર હોવાનો ઇનકાર કરતા તેમણે કહ્યું કે, 'જાહેર જીવનમાં અને રાજકારણમાં લોકો એકબીજાને નીચે પાડવાનો પ્રયાસ કરતા હોય છે, પરંતુ મારો આ નિર્ણય કોઈ અચાનક લીધેલું પગલું નથી અને હું 2024થી જ આ અંગે વિચાર કરી રહ્યો હતો.'

કોંગ્રેસમાં વાપસીની શક્યતા નકારી

કોંગ્રેસમાં ફરી જોડાવાની અટકળોને નકારતા તેમણે રમૂજી અંદાજમાં કહ્યું કે, 'જો રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી રાજીનામું આપે અને ભૂતકાળની ભૂલો માટે માફી માગે તો જ હું વિચારું. દેશમાં હાલ ભાજપથી શ્રેષ્ઠ કોઈ વિકલ્પ નથી અને પીએમ મોદીથી મોટા કોઈ નેતા નથી, તેથી મારો અન્ય કોઈ પક્ષમાં જોડાવાનો કોઈ વિચાર નથી.'