જન્મ અને મૃત્યુની નોંધણીમાં વિલંબ કરશો તો મુશ્કેલી વધશે, કેન્દ્ર સરકાર નિયમ કડક કરશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

New Birth and Death Registration Rules Strict Process for Delays Beyond Two Years કેન્દ્ર સરકાર દ્વારા સિવિલ રજિસ્ટ્રેશનના કાયદામાં એક મોટો ફેરફાર લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ પ્રસ્તાવિત નિયમ અનુસાર, જો કોઈ વ્યક્તિના જન્મ કે મૃત્યુના બે વર્ષની અંદર તેની સત્તાવાર જાણકારી અધિકારીઓને નહીં આપે, તો તેણે રજિસ્ટ્રેશન કરાવવા માટે ખૂબ જ જટિલ અને કડક પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. ગૃહ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલા આ પ્રસ્તાવને કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. આ ફેરફાર પાછળ સરકારનો મુખ્ય હેતુ જન્મ-મૃત્યુના રૅકોર્ડને બિલકુલ રિયલ-ટાઇમમાં નોંધવાનો અને મોડા થતાં રજિસ્ટ્રેશનના નિયમોને વધુ કડક બનાવીને તેના દુરુપયોગને અટકાવવાનો છે.
બે વર્ષથી વધુ વિલંબ પર નવો પ્રસ્તાવ
હાલના નિયમ પ્રમાણે, જો જન્મ કે મૃત્યુની નોંધણી કરાવવામાં એક વર્ષથી વધુનો સમય વીતી જાય, તો સંબંધિત વિસ્તારના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ(DM), એસડીએમ(SDM) કે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની મંજૂરીથી આ કામ થઈ જતું હતું. પરંતુ નવા પ્રસ્તાવ મુજબ, જો બે વર્ષ કરતાં વધુ સમયનો વિલંબ થશે, તો આવી ઘટનાઓનું રજિસ્ટ્રેશન માત્ર ફર્સ્ટ-ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના આદેશ પર જ થઈ શકશે. જોકે, બે વર્ષ સુધીની વિલંબિત નોંધણી માટે જૂની વ્યવસ્થા યથાવત્ રાખવાનું સૂચન છે.
21 દિવસમાં નોંધણી ફરજિયાત
સામાન્ય નિયમો મુજબ, દેશમાં દરેક જન્મ અને મૃત્યુની નોંધણી ડિજિટલ સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ(CRS) દ્વારા 21 દિવસની અંદર સ્થાનિક રજિસ્ટ્રાર પાસે કરાવવી ફરજિયાત છે. જો આ સમય મર્યાદા ચૂકી જવાય અને 30 દિવસ પછી પરંતુ એક વર્ષની અંદર જાણ કરવામાં આવે, તો ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર અથવા નક્કી કરેલા અધિકારીની લેખિત મંજૂરી, નિયત ફી અને સેલ્ફ-એટેસ્ટેડ દસ્તાવેજો સબમિટ કરીને જ આ રજિસ્ટ્રેશન કરાવી શકાય છે.









