Get The App

પ.બંગાળમાં 58 લાખ મતદારોના નામ કપાયા, 1.9 કરોડને નોટિસ, SIRમાં કેવી-કેવી ગરબડ પકડાઈ?

Updated: Dec 17th, 2025

GS TEAM

Google News
Google News
પ.બંગાળમાં 58 લાખ મતદારોના નામ કપાયા, 1.9 કરોડને નોટિસ, SIRમાં કેવી-કેવી ગરબડ પકડાઈ? 1 - image


File Photo


SIR: પશ્ચિમ બંગાળમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ના બીજા તબક્કાના ભાગ રૂપે મંગળવારે (16 ડિસેમ્બર) જાહેર કરાયેલા ડ્રાફ્ટ મતદાર યાદીમાં રાજ્યમાં મતદારોની સંખ્યા ઘટીને 7.1 કરોડ રહી ગઈ છે. 29 ઓક્ટોબર, 2025 સુધીમાં નોંધાયેલા 7.6 કરોડ મતદારોમાંથી, 7.6 ટકા એટલે આશરે 58 લાખ નામ મૃત, સ્થળાંતરિત, ગેરહાજર અથવા એક કરતાં વધુ જગ્યાએ નોંધાયેલા હોવાને કારણે યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. 

આ પણ વાંચોઃ 'બીજે ક્યાંક સ્પર્શ કર્યો હોત તો...', હિજાબ વિવાદમાં નીતિશના વિરોધની જગ્યાએ યુપીના મંત્રી આ શું બોલી ગયા?

16.5 કરોડ ફોર્મમાં તાર્કિક વિસંગતતાઓ

ચૂંટણી અધિકારીઓના જણાવ્યાનુસાર, ચકાસણી દરમિયાન 28 લાખ ગણતરી ફોર્મ અગાઉની SIR યાદી સાથે મેળ ખાતા નથી, જ્યારે 16.5 કરોડ ફોર્મમાં તાર્કિક વિસંગતતાઓ જોવા મળી હતી. જેના કારણે, આશરે 1.9 કરોડ મતદારોને નોટિસ જાહેર કરવામાં આવશે. આ મતદારોએ સુનાવણી દરમિયાન તેમની સ્થિતિ સમજાવવી પડશે, નહીંતર તેમના નામ અંતિમ મતદાર યાદીમાં સામેલ કરવામાં નહીં આવે.

SIRમાં કેવી વિસંગતતા જોવા મળી?

અધિકારીઓએ એક મીડિયાને જણાવ્યું હતું કે, જે વિસંગતતાઓ મળી આવી છે તેમાં એક જ માતા-પિતાના છથી વધુ બાળકોની એન્ટ્રીઓ, પિતાના નામમાં ભૂલો, વાલી તરફથી અસામાન્ય ઉંમરનો તફાવત અને 45 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓનો સમાવેશ થાય છે જેમણે પહેલાં ક્યારેય નોંધણી કરાવી ન હતી. SIRના બીજા તબક્કા માટેના નિયમોમાં ફેરફારને કારણે, દસ્તાવેજો સબમિટ કરવાનું હવે ફરજિયાત રહ્યું નથી, જેના કારણે મોટી સંખ્યામાં અપૂર્ણ અથવા ખોટી વિગતો જોવા મળી છે.

જિલ્લા સ્તરે નામ રદ કરવાના દરમાં નોંધપાત્ર તફાવત જોવા મળ્યો. કોલકાતા ઉત્તરમાં 25.9 ટકા મતદારોના નામ દૂર કરવામાં આવ્યા, જ્યારે કોલકાતા દક્ષિણમાં 23.8 ટકા, જ્યારે પૂર્વ મેદિનીપુરમાં સૌથી ઓછો દર 3.3 ટકા હતો. પશ્ચિમ બર્દવાનમાં 13.1 ટકા મતદારોના નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા.

આ પણ વાંચોઃ 'જી રામ જી' ભાજપ માટે માથાનો દુઃખાવો બની! વિપક્ષની સાથે સહયોગીને પણ વાંધો પડ્યો

બાંગ્લાદેશની સરહદે આવેલા મોટાભાગના જિલ્લાઓમાં રાજ્યના સરેરાશ કરતા કાઢી નાખવાનો દર ઓછો હતો, જોકે આ જિલ્લાઓમાં "પિતાના નામમાં અસંગતતા" નો દર વધુ હતો. માલદા, ઉત્તર દિનાજપુર અને મુર્શિદાબાદમાં 12 થી 16 ટકાની વચ્ચે દર નોંધાયો હતો.

અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જ્યાં SIR ફેઝ-2 હેઠળ ડ્રાફ્ટ મતદાર યાદીઓ બહાર પાડવામાં આવી હતી, ત્યાં રાજસ્થાનમાં 7.6 ટકા, ગોવામાં 8.45 ટકા, પુડુચેરીમાં 10.1 ટકા અને લક્ષદ્વીપમાં 2.47 ટકા મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા છે.

ક્યાં સુધી કરી શકાશે દાવા અને વાંધા અરજી? 

ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, મૃતક, સ્થળાંતરિત અને ડુપ્લિકેટ મતદારોની યાદી રાજકીય પક્ષોના બૂથ-સ્તરના એજન્ટોને સોંપવામાં આવી છે અને તેને જાહેર વેબસાઇટ પર પણ પોસ્ટ કરવામાં આવી છે. દાવા અને વાંધા 15 જાન્યુઆરી, 2026 સુધી દાખલ કરી શકાય છે, જ્યારે સુનાવણી અને ચકાસણી પ્રક્રિયા 7 ફેબ્રુઆરી, 2026 સુધી ચાલુ રહેશે. અંતિમ મતદાર યાદી 14 ફેબ્રુઆરી, 2026ના રોજ પ્રકાશિત કરવામાં આવશે.

Tags :