Mumbai

બળાત્કાર કેસમાં તરુણ તેજપાલને બે સપ્તાહમાં સરેન્ડર થવા આદેશ

By GS Team
26 Aug 20261 min read
TukuTouch Logo
સુપ્રીમ કોર્ટે તહલકાના ભૂતપૂર્વ સંપાદક તરુણ તેજપાલને મોટો ઝટકો આપ્યો છે. મુંબઈમાં બળાત્કાર કેસમાં દોષિત ઠરેલા તેજપાલને 2 અઠવાડિયામાં જેલ અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કરવાનો આદેશ કર્યો છે. કોર્ટે તત્કાળ રાહતનો ઇનકાર કરતા કહ્યું કે, પહેલા શરણે થાવ, પછી જ અરજી સાંભળશું. હવે 22 સપ્ટેમ્બરે આ કેસની સુનાવણી હાથ ધરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

બળાત્કાર કેસમાં તરુણ તેજપાલને બે સપ્તાહમાં સરેન્ડર થવા આદેશ

હવે છેક ૨૨મી સપ્ટે.એ જ સુનાવણી

તત્કાળરાહતનો સુપ્રીમનો ઈનકાર, પહેલાં શરણે થાવ પછી જ અરજી સાંભળશું  તેવી  તાકીદ

મુંબઈ -  સુપ્રીમ કોર્ટે મંગળવારે બળાત્કારના કેસમાં દોષિત ઠેરવાયેલા તહલકાના ભૂતપૂર્વ સંપાદક તરુણ તેજપાલને બે અઠવાડિયામાં જેલ અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કરવાનો નિર્દેશ આપ્યો છે.

કોર્ટે તેજપાલની શરણાગતિમાંથી મુક્તિ માટેની અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તેજપાલ શરણાગતિ સ્વીકારે અને શરણાગતિ પ્રમાણપત્ર ફાઇલ કરે પછી જ હાઇકોર્ટ દ્વારા તેમની સજા સામેની અપીલની સુનાવણી શરૃ કરશે.

 મંગળવારે ન્યાયાધીશ આલોક આરાધેએ તેજપાલના વકીલને પૂછયું કે તેમને શરણાગતિ સ્વીકારવા માટે કેટલો સમય લાગશે.

તેજપાલ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે તેમને બે અઠવાડિયાની જરૃર પડશે.

ત્યારબાદ કોર્ટે તે જ નોંધ્યું અને કેસની સુનાવણી ૨૨ સપ્ટેમ્બરના રોજ મુલતવી રાખી, જો તેજપાલ તે તારીખ સુધીમાં શરણાગતિ પ્રમાણપત્ર ફાઇલ કરે. 

તેજપાલ સામેના કેસમાં આરોપ છે કે તેમણે ૨૦૧૩ માં ગોવાની એક હાઇ-એન્ડ હોટલની લિફ્ટમાં એક જુનિયર સાથીદાર પર બે વાર જાતીય હુમલો કર્યો હતો. ત્યારબાદ ગોવા પોલીસે તેજપાલ વિરુદ્ધ બળાત્કાર સહિતના વિવિધ ગુનાઓ માટે પ્રથમ માહિતી અહેવાલ (એફઆઆર) નોંધ્યો હતો.