Mumbai

સિયા વતી વકીલાત માટે બે વકીલો વચ્ચે તકરાર

By GS Team
1 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈ-પુણેના બિલ્ડર કેતન અગ્રવાલ હત્યા કેસમાં આરોપી સિયા ગોયલના વકીલ કોણ છે તે અંગે ગૂંચવાડો સર્જાયો છે. બે વકીલો સિયાના વકીલ હોવાનો દાવો કરી રહ્યા છે. એક વકીલ આશુતોષ શ્રીવાસ્તવે સિયાના ભાઈ સાહિલને 10 કરોડની નોટિસ ફટકારી છે. શ્રીવાસ્તવના મતે, સિયાએ 25 જૂને વકાલતનામા પર સહી કરી હતી, જ્યારે સાહિલ કહે છે કે તેમની નિમણૂક ક્યારેય થઈ નહોતી.

Summarized by AI; it may make mistakes. Check important info

સિયા વતી વકીલાત માટે બે  વકીલો વચ્ચે તકરાર

ખરેખર કોની નિયુક્તિ થઈ તે અંગે ગૂંચવાડો

સિયાના ભાઈએ   પરિવાર વતી નિયુક્ત નહીં થયાનું જણાવતાં વકીલે તેને ૧૦ કરોડની નોટિસ આપી

 મુંબઈ - પુણેના બિલ્ડર કેતન અગ્રવાલની હત્યાના કેસમાં આરોપી સિયા ગોયલના અધિકૃત વકીલ કોણ છે તે અંગે ગૂંચવાડો સર્જાયો છે. બે વકીલોએ પોતે સિયાના વકીલ હોવાનો દાવો કર્યો છે અને તેમાંના એક વકીલ આશુતોષ શ્રીવાસ્તવે તો સિયાના ભાઈ સાહિલને વકીલ તરીકે નિયુક્ત બદલ જાહેર ટિપ્પણી બદલ ૧૦ કરોડના નુકસાની નોટિસ પણ આપી છે.

સિયાના વકીલ તરીકે આશુતોષ શ્રીવાસ્તવની નિયુક્તિ ક્યારેય પરિવાર દ્વારા કરાઈ નથી તેવું તા. ૨૯મી જૂનનું સાહિલનું નિવેદન ખોટું , ભ્રામક અન ેબદનક્ષીકારક હોવાનું આ વકીલની નોટિસમાં જણાવાયું છે.

શ્રીવાસ્તવે દાવો કર્યો છે કે સિયા ગોયલે પચ્ચીસમી જૂનના રોજ વકાલતનામા પર સહી કરી હતી. જેનાથી તેમને અને તેમના સાથીઓને મેજિસ્ટ્રેટ તેમજ બોમ્બે હાઈકોર્ટ સમક્ષ તેમનું પ્રતિનિધિત્વ કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે આ દસ્તાવેજો સ્વીકારવામાં આવ્યા છે અને સંબંધિત કોર્ટ સમક્ષ રેકોર્ડ પર મૂકવામાં આવ્યા છે. સિયા એક પુખ્ત વ્યક્તિ હોવાથી તેને પોતાના વકીલ નિયુક્ત કરવાનો સંપૂૂર્ણ અધિકાર છે એમ શ્રીવાસ્તવે કહ્યું હતું.

જોકે, એડવોકેટ વિપુલ દુશિંગનો દાવો છે કે ગોયલના પરિવાર દ્વારા તેમને આરોપીનું પ્રતિનિધિત્વ કરવા માટે રાખવામાં આવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું છે કે ૨૯ જૂનના રિમાન્ડ સુનાવણી દરમિયાન ગોયલે મેજિસ્ટ્રેટને કહ્યું હતું કે તેણે ફક્ત દુશિંગને જ તેના વકીલ તરીકે રાખ્યા હતા.