Mumbai

એન્ટિલિયા, મનસુખ હિરણ હત્યા કેસમાં આરોપો ઘડાશે

By GS Team
22 Jul 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં NIA કોર્ટે એન્ટિલિયા બોમ્બ વિસ્ફોટ અને મનસુખ હિરણ હત્યા કેસમાં મોટો સંકેત આપ્યો છે. કોર્ટે તમામ આરોપીઓ સામે આરોપો ઘડવાનો માર્ગ મોકળો કર્યો છે. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની દલીલો સાંભળીને કોર્ટે કહ્યું કે આરોપીઓ સામે કેસ બને છે. હવે આગામી તારીખ પહેલાં ડિજિટલ પુરાવાની નકલો આપવા નિર્દેશ અપાયો છે, જેથી ટ્રાયલ શરૂ થઈ શકે.

Summarized by AI; it may make mistakes. Check important info

એન્ટિલિયા, મનસુખ  હિરણ હત્યા કેસમાં આરોપો ઘડાશે

એનઆઈએ કોર્ટે   સુનાવણી બાદ સંકેત આપ્યો

આરોપીઓને ડિજિટલ પુરાવાઓની નકલો પૂરી પાડવાનો નિર્દેશ

મુંબઈ -  એન્ટિલિયા બોમ્બો વિસ્ફોટક અને મનસુખ હિરણ હત્યા કેસમાં એનઆઈએ કોર્ટે તમામ આરોપીઓ સામે આરોપો ઘડવાનો માર્ગ મોકળો કર્યો છે.

 એન્ટિલિયા બોમ્બ વિસ્ફોટક કેસ અને ત્યારબાદ થાણેના વેપારી મનસુખ હિરણની હત્યાના સંદર્ભમાં નોંધાયેલા તમામ આરોપીઓ સામે ખાસ એનઆઈએ કોર્ટ ટૂંક સમયમાં આરોપો ઘડે તેવી શક્યતા છે.

સોમવારે કોર્ટે ખાસ ફરિયાદ પક્ષની દલીલો સાંભળી અને કહ્યું કે તેણે બધા આરોપીઓ સામે આરોપો ઘડવા માટે કેસ બનાવ્યો છે.

કોર્ટે ફરિયાદ પક્ષને આગામી તારીખ પહેલાં આરોપીઓને ડિજિટલ પુરાવાઓની નકલો પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે જેથી આરોપો ઘડવાની પ્રક્રિયા શરૃ થઈ શકે અને ત્યારબાદ ટ્રાયલ શરૃ થઈ શકે છે.