અર્જુન બિજલાનીએ મૌની રોય મામલે મૌન છોડી પત્રકારોને જવાબદારીના પાઠ ભણાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દરેક મૈત્રીને જોવા રોમાન્ટિક એંગલની જરૃર હોતી નથી
મૌનીના ૧૮ વર્ષ જુના દોસ્ત અર્જુને પતિથી વિખૂટી પડેલી મૌની રોયને કપરાં કાળમાં સધિયારો આપ્યો
મુંબઇ - નાગિન ફેમ અભિનેતા અર્જુન બિજલાનીએ મૌની રોય સાથે ડેટિંગની અફવાને નકારી કાઢતાં જણાવ્યું હતું કે દરેક મૈત્રીને જોવા માટે રોમેન્ટિક એંગલની જરૃર હોતી નથી. મૌની રોયે તેના પતિ સૂરજ નાંબિયારથી અલગ થવાના સમાચારને સમર્થન આપ્યું તે પછી અર્જુને મૌનીની મુલાકાત લેતાં જાતજાતની અટકળો ચાલી હતી જેને પગલે અર્જુને ચોખવટ કરી હતી.
અર્જુને નિવેદન બહાર પાડી જણાવ્યું હતું કે મનોરંજનના નામે અમુક પોર્ટલ સંપૂર્ણ પાયાવિહોણી સ્ટોરીઓ છાપે છે તે નિરાશાજનક છે. હું અને મૌની છેલ્લા અઢાર વર્ષથી મિત્રો છીએ. મિત્રના મુશ્કેલ સમયમાં તેની પડખે ઉભાં રહેવું તેન ેમિત્રતા કહે છે. આ કોઇ સનસનાટી મચાવવાની હેડલાઇન નથી.
અર્જુને જણાવ્યું હતું કે લોકોના અંગત જીવનમાં બિનજરૃરી ઘૂસણખોરી કરી ગેરમાર્ગે દોરતી સ્ટોરીઓ ફેલાવતાં પહેલાં સમૂહમાધ્યમોએ હકીકતની ચકાસણી કરે તેવી અમારી વિનંતી છે. જવાબદાર પત્રકારત્વ દ્વારા વિશ્વસનીયતા બંધાય છે, ક્લિકબેઇટ દ્વારા નહીં.
એક્તાકપૂરના સુપરનેચરલ ડ્રામા નાગિનની પ્રથમ સિઝનમાં અર્જુન અને મૌનીએ રિતિક અને શિવાન્યાની ભૂમિકાઓ ભજવી દર્શકોમાં લોકપ્રિયતા મેળવી હતી.









