Mumbai

નીટનું પેપર ફૂટયા પછી રિઝલ્ટમાં પણ ગરબડના આક્ષેપઃ હાઈકોર્ટમાં અરજી

By GS Team
22 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈ: મહારાષ્ટ્રના બીડના એક NEET-UG ઉમેદવાર સોહમ ગાવટેએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે. NTAએ તેને 21 જૂનની પરીક્ષામાં OMR શીટ અને આન્સર કી મુજબ 522 ગુણ મળવા જોઈતા હતા, પરંતુ માત્ર 95 ગુણ આપ્યા છે. NTA તરફથી કોઈ જવાબ ન મળતા, તેમણે કોર્ટનો સંપર્ક કર્યો. આ અરજી પર 23 જુલાઈએ સુનાવણી થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

નીટનું પેપર ફૂટયા પછી રિઝલ્ટમાં પણ ગરબડના આક્ષેપઃ  હાઈકોર્ટમાં અરજી

 એનટીએ પાસે સ્પષ્ટતા માગી પરંતુ કોઈ જવાબ નહિ

ઓએમઆર શીટ અને  આન્સર કીમાં  મિસમેચઃ ૫૨૨ ગુણ મળવા જોઈએ તેને બદલે ફક્ત ૯૫ ગુણ

મુંબઈ -  મહારાષ્ટ્રના બીડના એક નીટ-યુજી ઉમેદવારે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે અને દાવો કર્યો છે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)એ તેને ૨૧ જૂનના રોજ લેવાયેલી પુનઃપરીક્ષામાં તેની ઓએમઆર શીટ અને સત્તાવાર આન્સર કીમાંથી ગણતરી કરાયેલા ૫૨૨ ગુણને બદલે ફક્ત ૯૫ ગુણ આપ્યા છે.

અરજદાર સોહમ નીતિન ગાવટેએ જણાવ્યું હતું કે એનટીએ તરફથી ઇમેઇલ મોકલવા અને વિસંગતતા અંગે સ્પષ્ટતા માંગવા છતાં કોઈ જવાબ ન મળતાં તેમને કોર્ટનો સંપર્ક કરવાની ફરજ પડી હતી.

ઔરંગાબાદ બેન્ચ સમક્ષ દાખલ કરાયેલી આ અરજી પર ૨૩ જુલાઈએ સુનાવણી થવાની છે.

અરજદારે જણાવ્યું હતું કે તેણે ધોરણ ૧૦ માં ૯૪.૬ ટકા અને ધોરણ ૧૨ (વિજ્ઞાાન)માં ૭૪.૧૭ ટકા મેળવ્યા છે, અને ૨૧ જૂને નીટ-યુજી પરીક્ષા આપી હતી.૧૪ જુલાઈના રોજ પ્રકાશિત થયેલી ઓએમઆર પ્રતિભાવ પત્રિકાની બે દિવસ પછી પ્રકાશિત થયેલી સત્તાવાર આન્સર કી સાથે સરખામણી કરતાં ગાવટેએ દાવો કર્યો હતોે કે તેમણે ૧૪૮ પ્રશ્નોનો પ્રયાસ કર્યો હતો, જેમાંથી ૧૩૬ સાચા અને ૧૨ ખોટા હતા.નીટ માકગ સ્કીમ હેઠળ ગાવટેએ દાવો કર્યો હતો કે તેણે ૭૨૦ માંથી ૫૨૨ ગુણ મેળવ્યા હોવા જોઈએ. જોકે, એનટીએ દ્વારા જારી કરાયેલા સ્કોરકાર્ડમાં ફક્ત ૯૫ ગુણ દર્શાવવામાં આવ્યા હતા.અરજદારે જણાવ્યું હતું કે તેણે ૧૭ અને ૧૮ જુલાઈના રોજ એનટીએને ઈમેલ કરીને તેના પરિણામનું પુનઃમૂલ્યાંકન અને સુધારણા માંગી હતી, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં.

તેમણે હવે એડવોકેટ્સ દ્વારા રિટ અરજી દાખલ કરી છે, જેમાં તેમની ઉત્તરવહીની ચકાસણી અને સુધારેલા સ્કોરકાર્ડની માંગ કરવામાં આવી છે.

પેપર લીકના આરોપો બાદ ૩ મેના રોજ યોજાયેલી નીટ-યુજી પરીક્ષા રદ કરવામાં આવી હતી, ત્યારબાદ એનટીએ ૨૧ જૂને ફરીથી પરીક્ષા લીધી હતી, જેનું પરિણામ ૧૬ જુલાઈએ જાહેર કરવામાં આવ્યું હતું.