આજે રક્ષાબંધન નિમિત્તે બેસ્ટની વધારાની ૧૩૬ બસ દોડશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

૨૬ ડેપોમાંથી આજે વિશેષ બસ સેવા
ઘાટકોપર-બોરીવલી, અંધેરી-બોરીવલી, કુર્લા-વાશી, મુલુન્ડ-મીરાં રોડ પર વધુ બસો મૂકાશે
મુંબઈ - રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને બેસ્ટ દ્વારા ૨૮ ઓગસ્ટે મુંબઈ શહેર અને ઉપનગરોમાં ૧૩૬ વધારાની બસો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. વધારાની બસ સેવા સવારે ૧૦ઃ૩૦ વાગ્યાથી શરૃ થઈને દિવસભર ચાલુ રહેશે. તહેવારને કારણે મુસાફરોની સંખ્યામાં વધારો થવાની શક્યતા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. કુલ ૨૬ ડેપોમાંથી વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે.
વધારાની બસો માટેના મુખ્ય માર્ગોમાં કોલાબા-વરલી, સાયન-મુલુંડ, દાદર-પરેલ, મુંબઈ સેન્ટ્રલચેમ્બુર, કુર્લા-વાશી, સાંતાક્રુઝ-નેરુલ, અંધેરી-બોરીવલી, ગોરેગાંવ-મુલુંડ, ઘાટકોપર-બોરીવલી, વિક્રોલી-બાંદ્રા, મુલુંડ-મીરા રોડ, મજાસ-થાણે અને માલવણીસાંતાક્રુઝનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જૂહૂ, પવઈ, થાણે, ઐરોલી, સીબીડી બેલાપુર, કળંબોલી, નેરુલ, ખારઘર, મીરા રોડ અને ભાયંદર જેવા વિસ્તારોને પણ વધારાની બસ સેવાથી જોડવામાં આવશે.
બેસ્ટ દ્વારા મુસાફરોની ભીડને નિયંત્રિત કરવા માટે પસંદગીના બસ સ્ટોપ પર બસ નિરીક્ષકો, પરિવહન અધિકારીઓ અને સુરક્ષા કર્મચારીઓ પણ તૈનાત કરવામાં આવશે. મુસાફરોની સંખ્યા અપેક્ષા કરતાં વધી જાય તો જરૃરિયાત મુજબ વધુ બસો દોડાવવાની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. બેસ્ટે મુસાફરોને તહેવારના દિવસે મુસાફરીનું અગાઉથી આયોજન કરવા અને વધારાની બસ સેવાનો લાભ લેવા અપીલ કરી છે.




