Gujarat
અમદાવાદમાં સતત બીજા દિવસે પણ કોરોનાના ૧૫ કેસ
By GS Team
4 Dec 20211 min read
This article was originally published on 4 Dec 2021

અમદાવાદ,શુક્રવાર,3 ડિસેમ્બર,2021
અમદાવાદમાં સતત બીજા દિવસે પણ કોરોના સંક્રમણ યથાવત રહેવા
પામ્યુ હતું.શુક્રવારે કોરોનાના નવા પંદર કેસ નોંધાતા બે દિવસમાં કોરોનાના કુલ
ત્રીસ કેસ નોંધાયા હતા.દરમ્યાન શહેરમાં ઓમિક્રોનનો શંકાસ્પદ કેસ મળ્યો હોવાની
અફવાએ જોર પકડયુ હતું.જો કે આ અંગે સત્તાવાર કોઈ સમર્થન મળી શકયુ નથી.૧૬ હજારથી
વધુ લોકોને કોરોના વેકિસન અપાઈ હતી.
શુક્રવારે કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નથી.૧૮ દર્દીઓ
કોરોનામુકત થયા હતા.શહેરના રસીકરણ કેન્દ્રો ઉપરથી ૩૫૮૨ લોકોને કોરોના વેકિસનનો
પહેલો અને ૧૨૭૬૩ લોકોને રસીનો બીજો ડોઝ મળી કુલ ૧૬૩૪૫ લોકોને કોરોના વેકિસન અપાઈ
હતી.ઘરસેવા વેકિસનેશન યોજના હેઠળ અત્યારસુધીમાં કુલ ૪૧૦૩ લોકોએ રજિસ્ટ્રેશન કરાવતા
૩૫૮૭ લોકોને રસી આપવામાં આવી છે.




