Gujarat
અમદાવાદમાં કોરોનાના ૧૧૨ કેસ નોંધાયા
By GS Team
24 Feb 20221 min read
This article was originally published on 24 Feb 2022

અમદાવાદ,ગુરુવાર,24 ફેબ્રુ,2022
અમદાવાદમાં ગુરુવારે કોરોનાના દૈનિક કેસમાં આઠ કેસનો ઘટાડો
થતા નવા ૧૧૨ કેસ નોંધાયા હતા.સતત ત્રીજા દિવસે પણ કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ
નહોતુ.૨૫૪ દર્દી સાજા થતા ડીસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.૨૩ ફેબુ્આરીએ શહેરમાં
કોરોનાના ૧૨૦ કેસ નોંધાયા હતા.




