Kutch

કચ્છ: માંડવીના રાજડામાં એક સાથે 18 ઊંટના મોતનો ભેદ ઉકેલાયો, PM રિપોર્ટ આવતા પશુ પાલકો પણ ચોંકી ગયા

By GS Team
6 Sep 20262 mins read
TukuTouch Logo
કચ્છના માંડવીના રાજડા ગામમાં 18 ઊંટોના ભેદી મૃત્યુનો રહસ્ય ઉકેલાયો છે. PM રિપોર્ટ મુજબ, લેન્ટેના નામની ઝેરી વનસ્પતિ ખાવાથી આ તમામ ઊંટોના મોત થયાનું સામે આવ્યું છે. પશુપાલકો ઊંટોને ચરાવવા લઈ ગયા હતા ત્યારે આ ઘટના બની. વરસાદની ઘટ વચ્ચે ઝેરી વનસ્પતિના કારણે પશુધનના મૃત્યુથી પશુપાલકોમાં ચિંતા વ્યાપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કચ્છ:  માંડવીના રાજડામાં એક સાથે 18 ઊંટના મોતનો ભેદ ઉકેલાયો, PM રિપોર્ટ આવતા પશુ પાલકો પણ ચોંકી ગયા

Kutch Mandvi Camel Death News: કચ્છના માંડવીના રાજડામાં એક સાથે 18 ઊંટના મોતનો ભેદ ઉકેલાયો છે. ઊંટોના મોતનું સત્ય જાણવા માટે PM રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જેમાં PM રિપોર્ટ આવતા પશુ પાલકો પણ ચોંકી ગયા હતા. PM રિપોર્ટ અનુસાર, લેન્ટેના પોઈઝનના કારણે તમામ ઊંટોના મોત નીપજ્યા છે. લેન્ટેના નામની ઝેરી વનસ્પતિ ખાધા બાદ ઊંટોના મોત થયા હોવાનું સ્પષ્ટ થયું છે.

માંડવીના રાજડામાં એક સાથે 18 ઊંટના મોતનો ભેદ ઉકેલાયો

કચ્છ અને સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદીની ઘટ વચ્ચે માંડવીના રાજડામાં પશુપાલક 18 જેટલાં ઊંટોને ચરાવવા લઈ ગયા હતા. આ પછી આ તમામ ઊંટોના શંકાસ્પદ રીતે મોત નીપજ્યા હતા. સમગ્ર ઘટના પાછળની તથ્ય જાણવા ઊંટોના PM રિપોર્ટ કરવામાં આવ્યા હતા.

PM રિપોર્ટ આવતા પશુ પાલકો પણ ચોંકી ગયા

PM રિપોર્ટમાં લેન્ટેના નામની ઝેરી વનસ્પતિ ઊંટોએ ખાધી હોવાનું સ્પષ્ટ થયું હતું. આમ, ઊંટો જ્યારે ચરી રહ્યા હતા ત્યારે લેન્ટેના નામની ઝેરી વનસ્પતિ ખાવાથી એકાએક તબિયત લથડી હતી અને મોતને ભેટ્યા હતા. એકસાથે 18 ઊંટોના મોત થતાં પશુ પાલિકો ચિંતાતુર થયા છે. એક તરફ વરસાદની ઘટ છે, ત્યારે અમુક વિસ્તારોમાં ઝેરી વનસ્પતિના કારણે પશુ પાલિકોમાં ભય છવાયો છે.

લેન્ટેના એક અત્યંત ઝેરી વનસ્પતિ

લેન્ટેના એક અત્યંત આક્રમક અને ઝેરી વનસ્પતિ છે. ગુજરાતીમાં તેને સામાન્ય રીતે ગાંધારી, ગંધાતી ફૂલકાકરી અથવા રાઈ મુનિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ છોડ તેના રંગબેરંગી ફૂલોને કારણે ખૂબ જ આકર્ષક લાગે છે, પરંતુ પર્યાવરણ અને પશુઓ માટે તે ખૂબ જ હાનિકારક છે.